રીપોર્ટ@ગુજરાત: મહામંડલેશ્વર ભારતીબાપુ 93 વર્ષની વયે બ્રહ્મલીન થયા, જૂનાગઢમાં સમાધિ અપાશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસક ગુજરાતના જાણીતા સંત અને મહામંડલેશ્વર ભારતીબાપુ અમદાવાદ સ્થિત સરખેજ આશ્રમમાં બ્રહ્મલીન થયા છે. બાપુના બ્રહ્મલીન થયા હોવાના સમાચાર મળતા જ સંત સમાજમાં શોકની લાગણી જોવા મળી રહી છે. બાપુના અંતિમ દર્શન અમદાવાદમાં સવારે 9.30 વાગ્યા સુધી થઈ શકશે. 93 વર્ષની વયે મહામંડલેશ્વર ભારતીબાપુ બ્રહ્મલીન થયા છે જે બાદ સંત સમાજમાં
 
રીપોર્ટ@ગુજરાત: મહામંડલેશ્વર ભારતીબાપુ 93 વર્ષની વયે બ્રહ્મલીન થયા, જૂનાગઢમાં સમાધિ અપાશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસક

ગુજરાતના જાણીતા સંત અને મહામંડલેશ્વર ભારતીબાપુ અમદાવાદ સ્થિત સરખેજ આશ્રમમાં બ્રહ્મલીન થયા છે. બાપુના બ્રહ્મલીન થયા હોવાના સમાચાર મળતા જ સંત સમાજમાં શોકની લાગણી જોવા મળી રહી છે. બાપુના અંતિમ દર્શન અમદાવાદમાં સવારે 9.30 વાગ્યા સુધી થઈ શકશે. 93 વર્ષની વયે મહામંડલેશ્વર ભારતીબાપુ બ્રહ્મલીન થયા છે જે બાદ સંત સમાજમાં શોકની લાગણી છે જ્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શોક વ્યક્ત કર્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદના સરખેજ ભારતી આશ્રમમાં બાપુના અંતિમ દર્શન કરવા માટે આશ્રમમાં ઘણા બધા સંતો અને સાધુ આવી પહોંચ્યા હતા. જગન્નાથજી મંદિરમાં મહંત દિલીપદાસજીએ એક મહાન સાધુ ગુમવ્યાનું દુઃખ વ્યક્ત કર્યું. બાપુના નશ્વર દેહને જૂનાગઢ લઈ જવામાં આવશે અને ત્યાં વિધિ અનુસાર તેમને સમાધિ આપવામાં આવશે. ભારતીબાપુએ ધાર્મિક અને સામાજીક સેવાકીય પ્રવૃતિ દ્વારા અનેક પથદર્શક કામગીરી કરી હતી જેના લીધા વિવિધ સંપ્રદાયના સાધુઓમાં દુખની લાગણી જોવા મળી રહી છે.