રિપોર્ટ@ગુજરાત: સરકાર સામે બાયો ચઢાવનાર 700 કર્મીઓને કરાયા છુટ્ટા, આરોગ્યકર્મીના આંદોલનનો આજે 9મો દિવસ

 
વિરોધ

વિધાનસભામાં પણ કર્મચારીઓની પડતર માંગણીનો મુદ્દો ગૂંજ્યો હતો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આરોગ્ય કર્મચારી છેલ્લા 9 દિવસથી ચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યાં છે. આજે આ મામલે કેટલાક કર્મીને સરકારે ફરજ મુક્ત કર્યા છે. સરકારના આ નિર્ણયને લઇને કર્મચારીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. અમરેલીમાં આરોગ્ય વિભાગના 251 કર્મચારીને સરકારે છૂટ્ટા કરી દીધા છે. ઉલ્લેખનિય છે કે, સરાકરે FHW અને MPHW કર્મચારીઓને છૂટ્ટા કર્યાં છે કેટલાક કર્મીઓએ પરીક્ષાઓ પાસ ન કર હોવાથી અયોગ્ય ગણીને પાણીચું પકડાવી દેવામાં આવ્યું છે. 17 માર્ચથી આરોગ્ય કર્મીઓ કેટલાક પડતર પ્રશ્નોને લઇને સરકાર સામે આંદોલન કરી રહ્યાં છે. વણ ઉકેલાયે પ્રશ્નને લઇને આરોગ્ય કર્મચારીએ સરકાર સામે બાયો ચડાવી છે.

આરોગ્ય કર્મચારી મહાસંઘે એલાન કર્યું હતુ કે, 17મી થી આરોગ્ય કર્મચારી બે મુદતે હડતાલ પાડશે. વિધાનસભા સત્ર વખતે જ હડતાલનું એલાન કરવામાં આવ્યું હતું. ત્યારે સરકારની ચિંતામાં પણ વધારો થયો હતો. આજે નવ દિવસ થઈ ગયા છે તેમ છતાં પણ આરોગ્ય કર્મચારીની માંગો સ્વીકારવામાં આવી નથી. તેમની મુખ્ય માંગ ગ્રેડપેથી માંડીને ખાતાકીય પરીક્ષા રદ કરવાની છે. નવ દિવસના આંદોલન બાદ પણ કોઇ પરિણામ ન આવતા કર્મીઓમાં રોષ છે. સરકારે માંગ સ્વીકારવાના બદલે આજે અમરેલી જિલ્લામાં 251 કર્મીને પાણીચું પકડાવતા આ કર્મતારીઓમાં રોષ છે. તેમણે સરકાર પણ આક્ષેપ કરતા મીડિયા સમક્ષ વ્યથા રજૂ કરી હતી. તેમણે સરકાર પર આરોપ લગાવ્યો કે નવ દિવસની હડતાલ અને વિરોધ પ્રદર્શન છતાંય સરકારના પેટમાં પાણી નથી હલતું.

સાંસદોના પગાર ભથ્થામા 24% જેટલો વધારો થતો હોય તો આરોગ્ય કર્મચારી કે જેમને કોરોના વોરિયર્સ તરીકે કામ કર્યું હતું તેમના ગ્રેડ પે મ શા માટે વધારો નહીં? સાબરકાંઠા જિલ્લામાં પણ 700 પંચાયત આરોગ્ય કર્મચારીઓને છૂટ્ટા કરવામાં આવ્યાં છે. આ જિલ્લામાંથી પણ 700 જેટલા આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર હતા. પડતર માંગણીઓને લઈ અચોક્ક્સ મુદતની હડતાળ યોજી હતી.હડતાળમાં જોડાયેલા 700 આરોગ્ય કર્મીઓને ટર્મિનેટ કરવામાં આવ્યા. છે અને 55 કર્મચારીઓને આરોપનામું આપવામાં આવ્યું હતું.