રિપોર્ટ@દેશ: જમ્મુ કાશ્મીરમાં આભ ફાટતાં અનેક મકાન ધરાસાયી, 3 લોકોના મોત

 
ઘટના
હાલમાં રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

જમ્મુ અને કાશ્મીરના કેટલાય જિલ્લામાં છેલ્લા 24 કલાકથી ભારે વરસાદ થઈ રહ્યો છે. રામબન વિસ્તારમાં કેટલાય ઘરો જમીનદોસ્ત થઈ ગયા છે. માન બનિહાલમાં 71 મિમી, કાઝી કુંડમાં 53 મિમી, કુકરનાગમાં 43 મિમી, પહલગામમાં 34 મિમી અને શ્રીનગરમાં 12 મિની વરસાદ થયો છે. શ્રીનગરના દક્ષિણમાં 80-100 મિમી સુધી વરસાદ થયો છે.જમ્મુ અને કાશ્મીરમાં ઘણા દિવસથી વરસાદ પડી રહ્યો છે.

આજે સવારે રામબન જિલ્લાના સેરી બાગના વિસ્તારમાં ભારે વરસાદ બાદ વાદળ ફાટવાથી ત્રણ લોકોના મૃત્યુ થયા છે. સૂત્રો દ્વારા જણાવ્યા અનુસાર વાદળ ફાટ્યા બાદ ભારે પૂર આવ્યું. પહાડ પરથી કાટમાળ ગામડાઓ તરફ પડવા લાગ્યો. જેના કારણે આ કાટમાળ લોકોના ઘરોમાં ઘૂસી ગયો. હાલમાં રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. બીજી તરફ રામબન જિલ્લામાં બનિહાલ વિસ્તારમાં ઘણી જગ્યાએ ભૂસ્ખલનની ઘટનાઓ જોવા મળી રહી છે. આ કારણે જમ્મુ કાશ્મીર રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ થઈ ગયો છે. સેંકડો વાહનો ફસાયેલા છે. વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે. હવામાન સાફ થાય પછી જ લોકોને અવર જવર કરવાની સલાહ આપવામાં આવી છે.