રિપોર્ટ@ગુજરાત: પાવાગઢમાં માતાજીના મંદિરમાં દાગીનાની ચોરીની આશંકા, સમગ્ર ઘટનાને લઇ લોકોમાં ખડભળાટ

 
પાવાગઢ

મંદિરમાં માતાજીની સામાન સામગ્રી વેર વિખેર જોવા મળી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

પાવાગઢ મંદિરમા દર્શનાર્થે લાખો લોકોની સંખ્યામાં ભક્તો આવે છે. આજે આ મંદિરમાં ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પાવાગઢમાં આવેલ માતાજીના મંદિરમાં માતાજીના દાગીના ચોરી કરવાનો પ્રયાસ ચોરો દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે સમગ્ર ઘટનાને લઇ લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

સુરક્ષા હોવા છતાં સવારના સમયે મંદિરમાં માતાજીની સામાન સામગ્રી વેર વિખેર જોવા મળી હતી. જેને લઇ ચોરો દ્વારા આવી કરતૂત કરવામાં આવી હોવાની આશંકા સેવાઇ રહી છે. સમગ્ર ઘટનાને લઇ પ્રસિદ્ધ અને હંમેશા સુરક્ષામાં રહેતા મંદિરમાં ચોરોએ પ્રવેશ કેમનો કર્યો તે પ્રશ્ન લોકોમાં જાગ્યો છે. ત્યારે હાલ આ ઘટનાને લઇ પાવાગઢ પોલીસ અને ડી વાય એસ પી ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. અને ઘટનાને લઇ કાર્યવાહી હાથ ધરી છે. જોકે મંદિર આજુબાજુથી સીસીટીવી કેમેરાથી સજ્જ હોઇ સમગ્ર ઘટના ટૂંક સમયમાં સામે આવે તેવી શક્યતાઓ છે. આ ઘટનાને લઇ પોલીસતંત્ર દ્વારા મંદિરને બંધ કરી દેવામાં આવ્યું છે. તથા ચોરીની શંકાને લઇ તંત્ર દ્વારા મંદિરમાં તપાસ શરૂ કરવામાં આવી છે.