રીપોર્ટ@ગુજરાત: મ્યિનિસિપલ કમિશનર સહીત રાજ્યના 13 IAS અધિકારીની બદલી

 
અધિકારીઓ
જૂનાગઢના મ્યુનિસિપ કમિશનર પદે તેજસ પરમારને જવાબદારી સોંપવામાં આવી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાત સરકારે રાજકોટના જિલ્લા કલેકટર અને જૂનાગઢના મ્યિનિસિપલ કમિશનર સહીત 13 સનદી અધિકારીની બદલીના આદેશ કર્યા છે. જેમાં શહેરી વિકાસ સચિવ અશ્વિની કુમારની પણ બદલી કરવામાં આવી છે. અશ્વિનીકુમારના સ્થાને, અમદાવાદમાં મ્યુનિસિપલ કમિશનર રહી ચૂકેલ એમ. થેન્નારસનની નિમણૂક કરવામાં આવી છે.રમેશચંદ્ર મીનાની બદલી પોર્ટ અને ટ્રાન્સપોર્ટ વિભાગના અગ્ર સચિવ તરીકે કરવામાં આવી છે. 

મીલિંદ તોરવણેને પંચાયત વિભાગના સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી સપ્તાહે ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે. ચૂંટણી પૂર્વે મીલિંદ તોરવણેની બદલી આ વિભાગમાં કરવામાં આવી છે.આરતી કંવરને નાણા વિભાગનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. જેનુ દેવાનને મધ્ય ગુજરાત વિજ કંપનીનો ચાર્જ સોંપાયો છે. તો જૂનાગઢના મ્યુનિસિપ કમિશનર પદે તેજસ પરમારને જવાબદારી સોંપવામાં આવી છે.

રાજકોટ કલેક્ટર પ્રભાવ જોશીને ગુજરાત ટુરિઝમમાં મેનેજીંગ ડિરેકટર બનાવવામાં આવ્યા છે. જ્યારે તેમના સ્થાને ઓમ પ્રકાશને રાજકોટ જિલ્લાના નવા કલેક્ટર બનાવવામાં આવ્યા છે. નર્મદાના DDO તરીકે રાજ સુથારની નિમણૂંક કરવામાં આવી છે. આવનારા દિવસોમાં હજુ પણ કેટલાક અધિકારીઓની બદલીનો ગંજીફો ચીપવામાં આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.