રીપોર્ટ@ગુજરાત: આજે ગ્રામ પંચાયતની સામાન્ય અને પેટાચૂંટણી માટે મતદાન, પરિણામો 25 જૂને

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આજે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. આ સમય દરમિયાન રાજ્યના લગભગ 81 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ગ્રામ પંચાયત ચૂંટણીના પરિણામો 25 જૂને જાહેર થશે.4567 ગ્રામ પંચાયતોમાંથી 751 પંચાયતોમાં બિનહરીફ ચૂંટણી જાહેર કરવામાં આવી છે, જ્યારે 272 પંચાયતોમાં ઉમેદવારીપત્રોના અભાવે બેઠકો ખાલી રહી છે.
સામાન્ય, વિભાગીય અને મધ્યસત્ર હેઠળ 3541 પંચાયતોમાં અને પેટાચૂંટણી માટે 353 પંચાયતોમાં મતદાન યોજાશે. કુલ 3656 સરપંચો અને 16224 સભ્યો માટે ચૂંટણી યોજાશે. રાજ્યભરમાં 10479 મતદાન મથકો પર મતદાન યોજાશે, જેમાંથી 3939ને સંવેદનશીલ અને 336ને અતિસંવેદનશીલ તરીકે ઓળખવામાં આવ્યા છે.
રાજ્યભરમાં 10479 મતદાન મથકો સ્થાપિત કરવામાં આવ્યા છે અને લગભગ 1.3 કરોડ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. મતદાન મથકોની સુરક્ષા કારણોસર સંવેદનશીલ વિસ્તારોમાં વધારાના પોલીસ દળો અને પેટ્રોલિંગ ટીમો તૈનાત કરવામાં આવશે.સુરેન્દ્રનગર જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી મતદારો મતદાન કરવા પહોંચ્યા છે. સરપંચો અને સભ્યોની ચૂંટણીને લઈને મતદાન થઈ રહ્યું છે. સરકારી કર્મીઓ તેમજ પોલીસ કર્મીઓ તૈનાત જોવા મળ્યા છે. જિલ્લામાં 295 બૂથ ઉપર ચૂંટણી યોજાઇ રહી છે. 43 મદદનીશ અધિકારીઓને સોંપાઇ વિશેષ જવાબદારી. 20 સરપંચ અને 244 સભ્યો બિનહરીફ જાહેર થયા છે.
અરવલ્લીમાં સરપંચ ઉમેદવાર પર હુમલો કરાયો છે. મોડાસાના વણીયાદ ગ્રામ પંચાયતના ઉમેદવાર પર વહેલી સવારે મતદાન શરૂ થતા પહેલા 12 જેટલા અસામાજિક તત્વોના ટોળાએ હુમલો કર્યો હતો. ઉમેદવારની કાર પર કરવામાં પથ્થરમારો આવ્યો હતો. હુમલામાં ઉમેદવાર સૌરભ ત્રિવેદીને ગંભીર ઈજાઓ પહોંચી છે. ઇજાગ્રસ્તને 108 મારફતે હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. સમગ્ર ઘટના અંગે ટીંટોઇ પોલીસને જાણ કરાઇ છે. વણીયાદ ગ્રામ પંચાયતમાં 3 સરપંચ ઉમેદવારો હરીફ છે.