રીપોર્ટ@ગુજરાત: નર્મદા ડેમમાં પાણીની સપાટીમાં 24 કલાકમાં ધરખમ વધારો, 27 ગામને કરાયા એલર્ટ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટીમાં 24 કલાકમાં ધરખમ વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટી 3 મીટર વધી છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટી 132.57 મીટર પર પહોંચી ગઈ હતી. ઉપરવાસમાંથી 5,07,750 ક્યુસેક પાણીની આવક હજુ પણ ચાલુ છે. જેને કારણે આજે નર્મદા ડેમ તંત્ર દ્વારા 5 ગેટ ખોલવામાં આવ્યા છે. હજુ પણ 15 દરવાજા 2.75 મીટર સુધી ખોલવામાં આવશે.
રિવરબેડ પાવરહાઉસના 6 ટર્બાઇનો ધમધમી ઉઠ્યા છે. પાવરહાઉસમાંથી 43,755 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. કેનાલ હેડ પાવરહાઉસમાંથી 14,097 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. એટલે નર્મદા નદીમાં 1.39 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવે છે. જ્યારે 5 દરવાજા ખોલી 50000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યો છે.હાલ આ 1.39 લાખ સ્યુસેક પાણી છોડાતા નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ છે અને જેને લઈ નર્મદા પોલીસ ભરૂચ પોલીસ અને વડોદરા પોલીસ દ્વારા નર્મદા નદી કાંઠા વિસ્તાર ના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.