રિપોર્ટઃ અત્યાર સુધીની સૌથી ભીષણ મંદી જોશે ભારત- ગોલ્ડમેન સૈશ

અટલ સમાચાર, ડેસ્ક કોરોના વાયરસને લઇ લૉકડાઉનથી વિશ્વભરની અર્થવ્યવસ્થાની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. આ ક્રમમાં દિગ્ગજ બ્રોકરેજ કંપની ગોલ્ડમેન સૈશે આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે કોરોના વાયરસને રોકવા માટે આપવામાં આવેલા દેશવ્યાપી લૉકડાઉનથી ભારતની અર્થવ્યવસ્થા પર વિનાશકારી અસર પડશે અને વિશ્વની બીજી સૌથી મોટી વસ્તી ઘરાવનાર દેશ અત્યાર સુધીની સૌથી ભીષણ મંદીના સમયમાંથી
 

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના વાયરસને લઇ લૉકડાઉનથી વિશ્વભરની અર્થવ્યવસ્થાની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. આ ક્રમમાં દિગ્ગજ બ્રોકરેજ કંપની ગોલ્ડમેન સૈશે આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે કોરોના વાયરસને રોકવા માટે આપવામાં આવેલા દેશવ્યાપી લૉકડાઉનથી  ભારતની અર્થવ્યવસ્થા પર વિનાશકારી અસર પડશે અને વિશ્વની બીજી સૌથી મોટી વસ્તી ઘરાવનાર દેશ અત્યાર સુધીની સૌથી ભીષણ મંદીના સમયમાંથી પસાર થશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બ્લૂમબર્ગના એક રિપોર્ટ પ્રમાણે, ગોલ્ડમેન સૈશની અર્થશાસ્ત્રી પ્રાચી મિશ્રા તથા એંડ્રયૂ ટિલ્ટને 17 મેએ એક નોટમાં લખ્યું હતું કે, આ અનુમાનોનું તાત્પર્ય તે છે કે નાણાકીય વર્ષ 2021માં રિયલ જીડીપીમાં 5 ટકાનો ઘટાડો નોંધાશે, જેવો અત્યાર સુધી ભારતમાં કોઈપણ મંદીમાં જોવા મળ્યો નથી. ચાલૂ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં દેશની જીડીપી વિકાસ દરમાં ગોલ્ડમેને પહેલાના અનુમાન 20 ટકાની તુલનામાં 45 ટકાનો ઘટાડો આવશે. ત્રીજા ક્વાર્ટરના 20 ટકાની મજતૂબ રિકવરી થશે, જ્યારે ચોથા ક્વાર્ટર તથા આગામી નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટર માટે વિકાસદરનું અનુમાન ક્રમશઃ -14% તથા -6.5% પર યથાવત રાખવામાં આવ્યું છે.

લૉકડાઉનને વધારવાની આ જાહેરાત કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા છેલ્લા ચાર પાંચ વખતની પત્રકાર પરિષદમાં અર્થવ્યવસ્થાને 20 લાખ કરોડ ડોલરના પેકેજ આપવાની જાહેરાત બાદ લેવામાં આવ્યો હતો. અર્થવ્યવસ્થા માટે આ મદદ દેશના જીડીપીના 10 ટકા છે. ગોલ્ડમૈન સૈશના અર્થશાસ્ત્રીઓએ લખ્યુ, પાછલા કેટલાક દિવસોમાં વિભિન્ન સેક્ટરોમાં ઘણા સંરચનાત્મક સુધારાની જાહેરાત કરવામાં આવી છે. આ સુધારાની અસર મધ્યમ સમયગાળામાં જોવા મળશે અને આપણે તે વાતની આશા કરવી જોઈએ નહીં કે અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા તેની તત્કાલ અસર પડશે. મીડિયમ ટર્મ આઉટલુક પર પડનાર અસરને જોવા માટે આપણે તે ઉપાયોની શરૂઆત પર નજીકથી નજર રાખીશું.