રિપોર્ટ@જામનગર: લખોટા તળાવ પાસે સરકારી પુસ્તકાલયમાં ભ્રષ્ટાચારનો ચોંકાવનારો ઘટસ્ફોટ

 
ઘટસ્ફોટ

આ ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

તાજેતરમાં જ કરોડો રૂપિયાના ખર્ચે નવીકરણ કરવામાં આવેલી આ લાઇબ્રેરીમાં વરસાદી પાણીના ધોધ ટપકી રહ્યા છે, જે લાઇબ્રેરીના પુસ્તકો અને સાધનોને નુકસાન પહોંચાડી રહ્યું છે. જેના કારણે વાચકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઘટનાનો એક વિડિઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં લાઇબ્રેરીની દયનીય સ્થિતિ સ્પષ્ટપણે દેખાઈ રહી છે. આ વિડિઓમાં લાઇબ્રેરીના ફ્લોર પર ભરાયેલા પાણી અને દર્શાવવામાં આવ્યા છે.

આ ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોએ સરકારને લાઇબ્રેરીના નવીનીકરણમાં થયેલા ભ્રષ્ટાચારની તપાસ કરવા અને તાત્કાલિક સુવિધાઓ સુધારવાની માંગ કરી છે.આ ઘટના સરકારી સંસ્થાઓમાં વ્યાપક ભ્રષ્ટાચાર અને જાહેર સંપત્તિના દુરુપયોગની સમસ્યાને પ્રકાશિત કરે છે.લાઇબ્રેરી જે જ્ઞાન અને શિક્ષણનું કેન્દ્ર હોવું જોઈએ તે ભ્રષ્ટાચાર અને બેકાળજીના કારણે દુર્દશામાં આવી ગયું છે. આશા છે કે સંબંધિત સત્તાવાળાઓ આ મામલાની તાત્કાલિક તપાસ કરશે અને જવાબદારો સામે કડક પગલાં લેશે.