રીપોર્ટ@પાટણ: છેલ્લા 5 દિવસમાં એકપણ કોરોના પોઝિટીવ નહિ, ફફડાટ વચ્ચે રાહત

અટલ સમાચાર,પાટણ જિલ્લામાં કોરોના વાયરસ સંક્રમણની શક્યતાઓ નિયંત્રણમાં, ગત તા.16 એપ્રિલના રોજ સિદ્ધપુરના તાવડિયા ખાતે 20 વર્ષિય મહિલાનો COVID 19 ટેસ્ટ આવ્યો હતો પોઝીટીવ પાટણ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા કરવામાં આવી રહેલી મહેનત રંગ લાવી રહી છે. ગત તા.16 એપ્રિલના રોજ સિદ્ધપુર તાલુકાના તાવડિયા ગામની 20 વર્ષિય મહિલાનો COVID-19 પોઝીટીવ આવ્યા
 
રીપોર્ટ@પાટણ: છેલ્લા 5 દિવસમાં એકપણ કોરોના પોઝિટીવ નહિ, ફફડાટ વચ્ચે રાહત

અટલ સમાચાર,પાટણ

જિલ્લામાં કોરોના વાયરસ સંક્રમણની શક્યતાઓ નિયંત્રણમાં, ગત તા.16 એપ્રિલના રોજ સિદ્ધપુરના તાવડિયા ખાતે 20 વર્ષિય મહિલાનો COVID 19 ટેસ્ટ આવ્યો હતો પોઝીટીવ

પાટણ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા કરવામાં આવી રહેલી મહેનત રંગ લાવી રહી છે. ગત તા.16 એપ્રિલના રોજ સિદ્ધપુર તાલુકાના તાવડિયા ગામની 20 વર્ષિય મહિલાનો COVID-19 પોઝીટીવ આવ્યા બાદ છેલ્લા પાંચ દિવસમાં નવો એક પણ કેસ નોંધાયો નથી. લોકડાઉનના ચુસ્ત અમલીકરણ અને આરોગ્ય વિભાગની સઘન કામગીરીના પરીણામે સંક્રમણના જોખમની શક્યતાઓમાં ઘટાડો થવા પામ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જિલ્લામાં COVID-19 પોઝીટીવ આવનાર દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોને સંક્રમણનું જોખમ સૌથી વધુ હોય છે ત્યારે ગત રોજ વધુ 16 લોકોના ટેસ્ટ સેમ્પલ લેવામાં આવ્યા હતા. કોરોના વાયરસના નિદાન માટે અત્યાર સુધીમાં કુલ 338 ટેસ્ટ સેમ્પલ લેવામાં આવ્યા છે. જે પૈકી ધારપુર જનરલ હોસ્પિટલ ખાતે 228, કોવીડ કેર સેન્ટર-દેથળી ખાતે 85 અને કોવીડ હેલ્થ સેન્ટર-રાધનપુર ખાતે 21 વ્યક્તિઓના ટેસ્ટ સેમ્પલ લેવામાં આવ્યા છે. બહારથી આવેલા મુસાફરો સહિત નર્સિંગ કોલેજ-સિદ્ધપુર ખાતે 08, ગ્રામીણ આરોગ્ય તાલીમ કેન્દ્ર-કુણઘેર ખાતે 16 અને સ્ટેટ ઈન્સ્ટીટ્યુટ ઑફ હોટલ મેનેજમેન્ટ-સિદ્ધપુર ખાતે 15 એમ કુલ 39 જેટલા લોકોને સરકારી કોરોન્ટાઈન ફેસિલીટીમાં રાખવામાં આવ્યા છે.

રીપોર્ટ@પાટણ: છેલ્લા 5 દિવસમાં એકપણ કોરોના પોઝિટીવ નહિ, ફફડાટ વચ્ચે રાહત

આરોગ્ય વિભાગના પેરા મેડિકલ અને નોન પેરામેડિકલ સ્ટાફની ટીમ દ્વારા ટેકો પ્લસ એપ્લિકેશન આધારીત હાઉસ ટુ હાઉસ સરવેમાં તા.21 એપ્રિલના રોજ 63,072 ઘરોની મુલાકાત લઈ 2,39,721 લોકોને આવરી લેવામાં આવ્યા છે. જે પૈકી ખાંસી, તાવ અને શ્વાસની તકલીફ ધરાવતા 378 વ્યક્તિઓને પ્રાથમિક સારવાર આપવામાં આવી.

નાગરીકોને આરોગ્યલક્ષી સેવાઓ ઘર આંગણે ઉપલબ્ધ થાય તે માટે પાટણ અને સિદ્ધપુર શહેરમાં શરૂ કરવામાં આવેલા 12 જેટલા મહોલ્લા ક્લિનિકમાં 268 જેટલા લોકોની પ્રાથમિક તપાસ કરી જરૂરી સારવાર આપવામાં આવી. જિલ્લાના કંટ્રોલરૂમ નં.02766-234295 પર ફોન કરી કોરોના વાયરસ અંગે માહિતી મેળવી શકાશે. ઉપરાંત તમામ તાલુકા ખાતે તૈયાર કરવામાં આવેલા કંટ્રોલરૂમ પરથી પણ માહિતી મેળવી શકાશે