રીપોર્ટ@સુરત: જેલમાંથી મુક્ત થતાં જ અલ્પેશ કથીરિયાએ રાજકારણમાં જોડાવવાં મુદ્દે આપ્યું મોટું નિવેદન

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોના મહામારી વચ્ચે ગઇકાલે પાસ નેતા અલ્પેશ કથિરીયા જેલ મુક્ત થતાં રાજકારણ ગરમાયું છે. આ તરફ હવે આગામી સમયમાં કેવી રણનીતિ કરવી તેને લઈ સમાજના આગેવાનો સાથે બેઠક કરી ચર્યા કરવામાં આવશે અને આગળ નિર્ણય લેવામાં આવશે તેવું અલ્પેશ કથિરીયાએ જણાવ્યું છે. PAAS નેતા અલ્પેશ કથિરીયા છેલ્લા કેટલાક સમયથી જેલમાં
 
રીપોર્ટ@સુરત: જેલમાંથી મુક્ત થતાં જ અલ્પેશ કથીરિયાએ રાજકારણમાં જોડાવવાં મુદ્દે આપ્યું મોટું નિવેદન

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે ગઇકાલે પાસ નેતા અલ્પેશ કથિરીયા જેલ મુક્ત થતાં રાજકારણ ગરમાયું છે. આ તરફ હવે આગામી સમયમાં કેવી રણનીતિ કરવી તેને લઈ સમાજના આગેવાનો સાથે બેઠક કરી ચર્યા કરવામાં આવશે અને આગળ નિર્ણય લેવામાં આવશે તેવું અલ્પેશ કથિરીયાએ જણાવ્યું છે. PAAS નેતા અલ્પેશ કથિરીયા છેલ્લા કેટલાક સમયથી જેલમાં હતા. જે બાદ ગઇકાલે તેઓ મુક્ત થતાં તેમને મળવા માટે અનેક રાજકીય આગેવાન અને તેમના સાથી મિત્રો હોંચ્યા હતા. કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ, કોંગ્રેસના મહિલા આગેવાન ગીતા પટેલ કથિરીયાના સ્વાગત માટે લાજપોર જેલ પહોંચ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટીદાર અનામત આંદોલન સમિતિના અલ્પેશ કથિરીયાની જેલ મુક્તિ બાદ હવે રાજકારણ પણ ગરમાયુ છે. અલ્પેશ કથિરીયા કહ્યું કે, આટલા સમય બાદ બહાર આવ્યું છે ત્યારે સામાજિક રીતે તમામ લોકોને મળશું અને ત્યાર બાદ અમે આગામી રણનીતિ મુદ્દે ચર્ચા કરીશું. આ સાથે તેમને દરેકનો આભાર માનતા દરેક અમારા ભાઈ બંધુ છે તેવું જણાવ્યું હતું. અલ્પેશ કથિરીયા રાજપોલ જેલમાંથી મુક્ત થયા બાદ અલ્પેશ કથિરીયાના સ્વાગત માટે AAP ના કોર્પોરેટરો પણ ઉમટ્યા હતા આપના કોર્પોરેટર પાયલ પટેલ અને ડૉ.કિશોર રૂપારેલીયા પણ તેમના સ્વાગત માટે લાજપોર જેલ પહોંચ્યા હતા.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, અલ્પેશ કથિરીયાની મુક્તિબાદ રાજકારણમાં ગરમાવો આવી શકે છે કેમ કે મોટા ભાગના પાસના કાર્યકરોનું આપ પાર્ટીમાં ઝુકાવ જોવા મળી રહ્યો છે. હવે આમ આદમી પાર્ટી ગુજરાતના રાજકારણમાં પ્રવેશી ચુકી છે ત્યારે આગામી સમયમાં અલ્પેશ કથિરીયાનું શુ સ્ટેન્ડ રહે છે તેને લઈ ચર્ચાઓ જોર પકડી રહી છે. એક તરફ પાસના કાર્યકરો આપને સમર્થન આપવાની વાતો કરી રહ્યા છે તો બીજી તરફ અલ્પેશ કથિરીયાએ જેલમાંથી મુક્ત થયા બાદ આગામી સમયામાં કેવી આયોજન કરવું અને કેવી રણનીતિ કરવી તેની લઈને સામાજિક આગેવાનો સાથે મળીને ચર્ચા કરવાનો નિર્દેશ આપ્યો છે. ત્યારે કોંગ્રેસ નેતાઓ પણ અલ્પેશને લઈને ઉતાવળા બન્યા છે.