રિપોર્ટ@વડોદરા: આંગણવાડીમાં બાળકોને પરાણે નમાજ પઢાવાતા મચ્યો ખળભળાટ
અભ્યાસક્રમમાં ન હોવા છતાં ભુલકાઓને ઈદના પાઠ ભણાવવામાં આવ્યા હતા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વડોદરાના ડભોઈ તથા જામનગરની આંગણવાડીમાં ભૂલકાંઓને પરાણે નમાજ પઢાવાઈ હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે. ઈદની ઉજવણીનું જ્ઞાન આપવાના બહાને વિદ્યાર્થીઓને માથે રૂમાલ બંધાવી નમાજ પઢવાનું જણાવ્યું હતું, ઘટનાનાં ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ધારાસભ્ય શૈલેષ મહેતાએ ડીડીઓને સમગ્ર બાબતની જાણ કરતા મામલો બહાર આવ્યો છે.
નમાજ પઢવા મામલે મહંત જ્યોતિર્નાથે કરનાળીને સનાતનની પવિત્ર ભૂમિ ગણાવી છે.આ મામલે મહંત જ્યોતિર્નાથનું નિવેદન સામે આવ્યું છે. મહંતે કહ્યું કે પ્રજા સનાતન સાથે જોડાયેલી હોય ત્યાં આવું ન થવું જોઈએ. ધર્માંતરણનો પ્રયાસ થઈ રહ્યું હોવાનું લાગી રહ્યું છે. CM તેમજ શિક્ષણમંત્રીએ આ મામલે તપાસ કરવી જોઈએ તેમજ તંત્ર કડક કાર્યવાહી કરે એવી માગ પણ તેમને કરી છે.
ગુજરાતની શાળાઓમાં પ્રાથમિકથી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં ભગવદ ગીતાના પાઠ ભણાવવાનો ગુજરાત સરકારે નિર્ણય લીધો છે. વડોદરાના ડભોઈ તથા જામનગરની આંગણવાડીમાં બાળકોને ન માત્ર નમાજ પઢાવાઈ, પરંતુ અલ્લાહો અકબરના પણ નારા લગાવાયા. હિંદુ વિદ્યાર્થીઓને માથે રૂમાલ બંધાવી નમાજ પઢાવવા તેમજ ઈદની ઉજવણીનું જ્ઞાન આપવા વિદ્યાર્થીઓને માથે રૂમાલ બાંધવામાં આવ્યો હતો. ઈદની ઉજવણી કરતા ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ધારાસભ્ય શૈલેષ મહેતાએ DDO ને સમગ્ર બાબતની જાણ કરતા મામલો બહાર આવ્યો છે.