રિપોર્ટ@દિલ્હી: આતીશીનો આરોપ, કોણ ઘડી રહ્યું છે જેલમાં કેજરીવાલનો જીવ લેવાનું ષડયંત્ર?

 
આતીશી

EDએ કોર્ટમાં ખોટું બોલ્યું કે સીએમ કેજરીવાલ જેલમાં મીઠી ચા પીવે છે અને મીઠાઈ ખાય છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દિલ્હીના મંત્રી આતિશીએ ભાજપ પર નિશાન સાધ્યું. તેમણે આરોપ લગાવ્યો કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ઘરનું રાંધેલું ભોજન ન મળે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ભાજપ ઇડી દ્વારા તેમના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છે. તમણે એવો પણ આરોપ લગાવ્યો કે EDએ કોર્ટમાં ખોટું બોલ્યું કે સીએમ કેજરીવાલ જેલમાં મીઠી ચા પીવે છે અને મીઠાઈ ખાય છે.

આતિશીએ આરોપ લગાવ્યો કે બીજેપી કેજરીવાલ વિરુદ્ધ મોટું ષડયંત્ર રચી રહી છે. તેઓ અરવિંદ કેજરીવાલનો જીવ લેવાનું કાવતરું ઘડી રહ્યા છે. તે એવા વ્યક્તિ છે જેમને ભાજપ દિલ્હીમાં હરાવી શકે તેમ નથી. તેમણે કહ્યું કે સીએમ કેજરીવાલ 30 વર્ષથી ડાયાબિટીસથી પીડિત છે. આતિશીએ કહ્યું, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમના શુગર લેવલને કંટ્રોલ કરવા માટે દરરોજ 54 યુનિટ ઇન્સ્યુલિન લે છે. કોઈપણ ડૉક્ટર એ વાતની પુષ્ટિ કરી શકે છે કે ગંભીર ડાયાબિટીસથી પીડિત વ્યક્તિ જ 54 યુનિટ ઇન્સ્યુલિન લે છે.

આમ આદમી પાર્ટીના મંત્રી આતિશીએ વધુમાં કહ્યું કે, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને તેમની ગંભીર ડાયાબિટીસને કારણે કોર્ટ દ્વારા ડોકટરો દ્વારા સૂચવવામાં આવેલ ખોરાક આપવામાં આવ્યો છે. પરંતુ, ભાજપ, તેના સહયોગી સંગઠન ED દ્વારા, તેમની તબિયત બગાડવાનો પ્રયાસ કરી રહી છે તેમને ઘરનું ભોજન ખાવાથી રોકવાનો પ્રયાસ કરી રહી છે. આજે ED વારંવાર ખોટું બોલે છે અને અફવાઓ ફેલાવે છે. EDએ જે પહેલું જુઠ્ઠું કહ્યું તે એ હતું કે સીએમ અરવિંદ કેજરીવાલ મીઠી ચા પીતા હતા અને મીઠાઈઓ ખાતા હતા.