રિપોર્ટ@દેશ: રાહુલ ગાંધીની ફરી મુશ્કેલીઓ વધી, માનહાનિ કેસમાં કોર્ટમાં ફરી થવું પડશે હાજર

 
રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ મોદી સરનેમને લઈને એક ટિપ્પણી કરી હતી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

મોદી સરનેમને લઈને ટિપ્પણી સાથે જોડાયેલા માનહાનિ કેસમાં લોકસભામાં નેતા પ્રતિપક્ષ રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી ગઈ છે. આ મામલે રાહુલ પર આરોપ નક્કી કરવામાં આવશે. રાંચીની એમપી/એમએલએ કોર્ટે ગત દિવસોમાં આરોપ રચનાના પોઈન્ટ પર સુનાવણી માટે 6 જુલાઈની તારીખ નક્કી કરી છે.

આરોપ રચના દરમિયાન કોર્ટેમાં નિવેદન નોંધાવવા માટે રાહુલ ગાંધીને રાંચીની એમપી/એમએલએ કોર્ટ આવવું પડશે.વકીલ પ્રદીપ મોદી દ્વારા 23 એપ્રિલ 2019એ નોંધાયેલા મામલાને 30 સપ્ટેમ્બર 2021એ એમપી/એમએલએ કોર્ટમાં સ્થળાંતરિત કરવામાં આવ્યો હતો. તે બાદ કોર્ટે રાહુલ વિરુદ્ધ સમન્સ જારી કર્યું. આની પર રાહુલે અરજી દાખલ કરીને હાજરીથી છુટ માગી, જેને કોર્ટે ફગાવી દીધી. હવે નિવેદન નોંધાવવા માટે રાહુલે કોર્ટ આવવું પડશે.

2019 લોકસભા ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીએ મોદી સરનેમને લઈને એક ટિપ્પણી કરી હતી, જેનાથી ઠેસ પહોંચતાં વકીલ પ્રદીપ મોદીએ તેમના વિરુદ્ધ માનહાનિ કેસ દાખલ કર્યો હતો. આવો જ એક કેસ ગુજરાતમાં ભાજપ નેતા પૂર્ણેશ મોદીએ પણ કર્યો હતો. જેમાં રાહુલગાંધીને બે વર્ષની સજા સંભળાવાઈ હતી. સુરત કોર્ટના આ આદેશ બાદ રાહુલ ગાંધીનું સભ્યપદ છીનવાઈ ગયું હતું. જોકે, બાદમાં હાઈકોર્ટની રોક બાદ તેમનું સભ્યપદ ફરી શરૂ કરાયુ હતું.