રિપોર્ટ@ગુજરાત: કોંગ્રેસને ચૂંટણી પહેલા વધું એક આંચકો, હું હિન્દુ છું એમ કહીને પ્રવક્તાએ આપ્યું રાજીનામુ

 
ગૌરવ વલ્લભ
મોટા નેતાઓ અને તળિયાના કાર્યકરો વચ્ચે અંતર વધી ગયું છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોંગ્રેસને લોકસભા ચૂંટણી પહેલા વધું એક આંચકો લાગ્યો છે. પ્રખર રાષ્ટ્રીય પ્રવક્તા ગોરવ વલ્લભે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે.ગૌરવે રાજીનામું આપતા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખરગેને એક લાંબી ચીઠ્ઠી પણ લખી છે. તેમણે જણાવ્યું હતું કે, જ્યારે હું પાર્ટી સાથે જોડાયો ત્યારે જે કોંગ્રેસ હતી, તેમાં અને વર્તમાન કોંગ્રેસમાં જમીન આસમાન જેટલું અંતર છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી પોતાનો રસ્તો ભટકી ગઈ છે. છેલ્લા કેટલાક સમયથી પાર્ટીમાં મારું કોઈ યોગ્ય સ્ટેન્ડ લઈ શકતો નથી. પક્ષમાં બૌદ્ધિક અને નવા વિચારો ધરાવતા યુવાનોની પ્રશંસા થઈ રહી નથી. કોંગ્રસ પાર્ટી જમીની સ્તરે કોઈની સાથે જોડાયેલો નથી.આ સાથે તેઓએ કોંગ્રેસ પાર્ટીના સત્તાથી દૂર રહેવાનું કારણ પણ આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, પાર્ટી મજબૂત વિપક્ષની ભૂમિકા પણ યોગ્ય રીતે નિભાવી શકતી નથી, જેના કારણે સામાન્ય કાર્યકરો નારાજ છે. 

તેઓએ પત્રમાં આગળ લખ્યું કે, તેઓ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી ન આપવાના કોંગ્રેસ પાર્ટીના વલણથી પણ ખૂબ નારાજ છે. તેઓ જન્મથી હિન્દુ અને શિક્ષક છે, અને રામનું અપમાન સહન કરી શકતો નથી. તેમણે જણાવ્યું હતું કે, પાર્ટીના કેટલાક નેતાઓ સનાતન વિરુદ્ધ બોલે છે અને પાર્ટી તેના પર મૌન રહે છે તે તેને મૌન મંજૂરી આપવા સમાન છે. કોંગ્રેસ હવે દિશાહીન થઈ ગઈ છે, હું રોજ સવાર-સાંજ સનાતનનો વિરોધ કરતા અને દેશના સંપત્તિ સર્જકોનો દુરુપયોગ કરતા સાંભળી શકતો નથી.