રીપોર્ટ@ગુજરાત: અમદાવાદમાં સૌથી મોટું ડીમોલેશન, પોલીસની ઘૂસણખોરો સામે સર્જિકલ સ્ટ્રાઈક

 
કાર્યવાહી
ચંડોળા તળાવ વિસ્તારમાં આ ડીમોલેશન કરવામાં આવી રહ્યું છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

પહલગામ આતંકી હુમલાની ઘટના બાદ સમગ્ર દેશમાં ગેરકાયદે વસતા પાકિસ્તાનીઓ તેમજ બાંગ્લાદેશીઓ સામે તવાઈ બોલાવવામાં આવી છે અને તેમને દેશનિકાલ કરવામાં આવી રહ્યા છે ત્યારે આજે ગુજરાત પોલીસે પણ ઘૂસણખોરો સામે સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આજે અમદાવાદ શહેરમાં દેશના ઈતિહાસનું સૌથી મોટું ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું છે.

અમદાવાદ શહેરમાં આવેલા ચંડોળા તળાવ વિસ્તારમાં આ ડીમોલેશન કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ મહાનગર પાલિકા સહિત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ ડીમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં લગભગ 1000 જેટલા ગેરકાયદે કાચા અને પાકા મકાનોનો કડુસલો બોલાવવામાં આવનાર છે. આ વિસ્તાર મીની બાંગ્લાદેશ તરીકે જાણીતો છે. અહીં મોટી સંખ્યામાં ગેરકાયદે પ્રવેશ કરેલા બાંગ્લાદેશીઓ વસવાટ કરી રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું છે કે તેમના દ્વારા અનેક ગેરકાયદે પ્રવૃત્તિઓ આચરવામાં આવી રહી છે. છેલ્લા 14 વર્ષમાં અહીં આશરે દોઢ લાખ સ્ક્વેર મીટરની સરકારી જમીન પર દબાણ કરાયું છે.