પરિણામ@બેચરાજી: APMCમાં ખેડૂત વિભાગની ચૂંટણીમાં વિઠ્ઠલભાઇ પેનલનો વિજય

અટલ સમાચાર, મહેસાણા કોરોના મહામારી વચ્ચે ગત દિવસોએ બેચરાજી APMCની ચૂંટણી યોજાઇ હતી. જે બાદમાં અગાઉ 5 બેઠકોનું પરિણામ જાહેર થયા બાદ આજે બાકી રહેલ બેઠકોની મતગણતરી હાથ ધરાઇ હતી. મતગણતરી બાદ APMCની ખેડૂત વિભાગની ચૂંટણીમાં વિઠ્ઠલભાઈની પેનલનો વિજય થયો છે. વિઠ્ઠલભાઇ પેનલની 7/3થી જીત થઈ હોવાનું સામે આવ્યુ છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા
 
પરિણામ@બેચરાજી: APMCમાં ખેડૂત વિભાગની ચૂંટણીમાં વિઠ્ઠલભાઇ પેનલનો વિજય

અટલ સમાચાર, મહેસાણા

કોરોના મહામારી વચ્ચે ગત દિવસોએ બેચરાજી APMCની ચૂંટણી યોજાઇ હતી. જે બાદમાં અગાઉ 5 બેઠકોનું પરિણામ જાહેર થયા બાદ આજે બાકી રહેલ બેઠકોની મતગણતરી હાથ ધરાઇ હતી. મતગણતરી બાદ APMCની ખેડૂત વિભાગની ચૂંટણીમાં વિઠ્ઠલભાઈની પેનલનો વિજય થયો છે. વિઠ્ઠલભાઇ પેનલની 7/3થી જીત થઈ હોવાનું સામે આવ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાની બેચરાજી APMCની ચૂંટણી ગત દિવસોએ યોજાઇ હતી. જેમાં વિઠ્ઠલભાઇ પટેલ અને રજનીભાઇ પટેલનું જૂથ આમને-સામને જોવા મળ્યું હતુ. આ તરફ હવે બાકી રહેલ બેઠકોનું આજે પરિણામ જાહેર થયુ છે. આજે સવારે 11 વાગે બાકી રહેલ ખેડૂત વિભાગની 10 બેઠકની મતગણતરી બાદ વિઠ્ઠલભાઇ પટેલની પેનલ વિજેતા જાહેર થઇ છે. ખેડૂત વિભાગની ચૂંટણીના પરિણામોમાં 7/3 થી વિઠ્ઠલભાઇ પેનલનો વિજય થયો છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, અગાઉ બેચરાજી APMC ચૂંટણીની 5 બેઠકોનું પરિણામ જાહેર થયું હતું. આ તમામ બેઠક પર વર્તમાન ચેરમેનની પેનલનો વિજય થયો હતો. અગાઉ ચેરમેન વિઠ્ઠલ પટેલની પેનલને 29માંથી 18 મત મળ્યા હતા. આજે જાહેર થયેલ પરિણામોમાં પણ 10 માંથી 7 બેઠકમાં વિઠ્ઠલભાઇની પેનલનો વિજય થયો છે. આ તરફ રજની પટેલની પેનલનો ત્રણ બેઠકમાં વિજય થયો હતો.