લુંટ@વલસાડ: એકલવાયુ જીવન જીવતા વૃદ્ધને માથાના ભાગે હથિયાર માર્યું, ચોરી કરી ઈસમો ફરાર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક વલસાડ જીલ્લાના ઉમરગામના વિસ્તારમાંથી વૃદ્ધને મારી લુંટ ચલાવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં દહાડ વિસ્તારમાં બંગલમાં એકલા જ રહેતા વૃધ્ધ ઉપર રાત્રીના સમયે 3 લુંટારૂએ મારઝુડ કરી લુંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. ચોર તત્વોએ વૃધ્ધની આંખમાં જ્વલનશીલ પદાર્થ નાખ્યો હતો. બાદમાં વૃધ્ધને માથાના ભાગે બોથડ પદાર્થ મારતા તેઓ
 
લુંટ@વલસાડ: એકલવાયુ જીવન જીવતા વૃદ્ધને માથાના ભાગે હથિયાર માર્યું, ચોરી કરી ઈસમો ફરાર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વલસાડ જીલ્લાના ઉમરગામના વિસ્તારમાંથી વૃદ્ધને મારી લુંટ ચલાવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં દહાડ વિસ્તારમાં બંગલમાં એકલા જ રહેતા વૃધ્ધ ઉપર રાત્રીના સમયે 3 લુંટારૂએ મારઝુડ કરી લુંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. ચોર તત્વોએ વૃધ્ધની આંખમાં જ્વલનશીલ પદાર્થ નાખ્યો હતો. બાદમાં વૃધ્ધને માથાના ભાગે બોથડ પદાર્થ મારતા તેઓ પડી ગયા હતા. આ બનાવની જાણ આસપાસના લોકોને થતાં તેઓ તુરંત ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ત્યાર બાદ તેમને આ મામલાની જાણ પોલીસને કરતાં પોલીસ પણ સ્થળે દોડી આવી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વલસાડ જીલ્લાના ઉમરગામ તાલુકાના દહાડ વિસ્તારમાં આવેલ શીતલ ટાઉનશીપના બંગલામાં એકલવાયુ જીવન જીવતા રમેશભાઈ જૈનના ઘરે રાત્રીના સમયે લુંટારૂઓ ત્રાટક્યા હતા. રમેશભાઈ જૈન ખાનગી કુરિયર કંપનીના એજન્સી ધરાવે છે. લુંટારૂઓ રાત્રીના સમયે ઘરમાં પ્રવેશી તેમની આંખમાં જ્વલનશીલ પદાર્થ નાખી માથાના ભાગે બોથડ પદાર્થ વડે હુમલો કરી દેતા તેઓ નીચે પડી ગયા હતા. ત્યાર બાદ તેમના મકાનમાંથી લુંટ ચલાવી 3 જેટલા શખ્સો ફરાર થઈ ગયા હતા. આ મામલાની જાણ આસપાસના રહીશોને થતાં તેઓ તુંરત ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બાદમાં તેમને પોલીસને આ મામલાની જાણ કરી હતી.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ઈજાગ્રસ્ત વૃધ્ધને વાપીની હરિયા હોસ્પીટલ ખાતે ખસેડાયા હતા. રમેશભાઈ જૈન ભાનમા નહી આવતા તેમનુ નિવેદન લેવાનુ બાકી હોઈ તેમના ઘરેથી કેટલા રૂપાયીની લુંટ થઈ છે, એ હજુ પણ જાણવા મળ્યુ નથી. પીડિતના સંબધીના મત મુજબ આરોપીઓ રાજેસ્થાની ભાષા બોલતા હોવાનુ જાણવા મળ્યુ હતુ. જેથી પોલીસે તપાસ કરી આરોપીઓની ઝડપી પાડવા ચક્રો ગતીમાન કર્યા છે.