સૌરાષ્ટઃ ધાંગધ્રામાં કાળમુખી ST બસે વિદ્યાર્થીનો ભોગ લીધો

અટલ સમાચાર, ધાંગધ્રા સુરેન્દ્રનગરમાં એસટી બસમાં અસમર્થતાને લીધે એક આશાસ્પદ વિદ્યાર્થીનું અવસાન થયું છે. ધાંગધ્રા-રાજકોટ એસટી બસમાં ચઢવા જતા વિદ્યાર્થી નીચે પટકાયો હતો. જ્યાં બસનું પાછળનું વ્હીલ વિદ્યાર્થી પર ફરીવાળતા તેનું ઘટના સ્થળે જ દુખઃદ ભર્યુ મોત થયું હતું. આ ધટનાના બનાવ બાદ જ્યારે બસ ડ્રાઇવર બસ મુકી ભાગી ગયો હતો. ઘટના પછી, ઘટનાના સ્થળે
 
સૌરાષ્ટઃ ધાંગધ્રામાં કાળમુખી ST બસે વિદ્યાર્થીનો ભોગ લીધો

અટલ સમાચાર, ધાંગધ્રા

સુરેન્દ્રનગરમાં એસટી બસમાં અસમર્થતાને લીધે એક આશાસ્પદ વિદ્યાર્થીનું અવસાન થયું છે. ધાંગધ્રા-રાજકોટ એસટી બસમાં ચઢવા જતા વિદ્યાર્થી નીચે પટકાયો હતો. જ્યાં બસનું પાછળનું વ્હીલ વિદ્યાર્થી પર ફરીવાળતા તેનું ઘટના સ્થળે જ દુખઃદ ભર્યુ મોત થયું હતું.

આ ધટનાના બનાવ બાદ જ્યારે બસ ડ્રાઇવર બસ મુકી ભાગી ગયો હતો. ઘટના પછી, ઘટનાના સ્થળે લોકોના ટોળું ઉમટી નીકળ્યું હતું. અકસ્માતનો ભોગ બનેલ વિદ્યાર્થી બીએસસીમાં અભ્યાસ કરી રહ્યો હતો.

અહેવાલ મુજબ જણાવીએતો આ ધટનાની જાણ થતા સ્થનિક પોલીસ આ ધટના સ્થલે આવી પહુચી હતી. ત્યાર બાદ વિદ્યાર્થીની લાશને હોસ્પીટલે પોસ્ટમાર્ટમ માટે ધકેલવામાં આવી હતી. આ ધટનાને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.