ગંભીર@રાપર: બસ અને જીપ વચ્ચે અકસ્માત, 3ના મોત, તાત્કાલિક બચાવ માટે દોડ્યાં

અટલ સમાચાર, રાપર કોરોના મહામારી વચ્ચે આજે સાંજના સમયે રાપર નજીક એસટી બસ અને જીપ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ઘટનાસ્થળે જ 3 લોકોના મોત થતાં ચકચાર મચી ગઇ છે. આ તરફ 10થી વધુ લોકો ઇજાગ્રસ્ત બન્યા હોવાનું સામે આવ્યુ છે. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો સહિતના ટોળાં એકત્ર થઇ ગયા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક
 
ગંભીર@રાપર: બસ અને જીપ વચ્ચે અકસ્માત, 3ના મોત, તાત્કાલિક બચાવ માટે દોડ્યાં

અટલ સમાચાર, રાપર

કોરોના મહામારી વચ્ચે આજે સાંજના સમયે રાપર નજીક એસટી બસ અને જીપ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ઘટનાસ્થળે જ 3 લોકોના મોત થતાં ચકચાર મચી ગઇ છે. આ તરફ 10થી વધુ લોકો ઇજાગ્રસ્ત બન્યા હોવાનું સામે આવ્યુ છે. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો સહિતના ટોળાં એકત્ર થઇ ગયા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કચ્છમાં રાપરના પલાસવા ગામ નજીક જીપ અને એસ.ટી બસ વચ્ચે ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો. જેમાં 3 વ્યક્તિઓના મોત અને 10થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા. આ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતના પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ અકસ્માત સર્જાતા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને બચાવ માટે કામગીરી હાથ ધરી હતી. આ અકસ્માત સર્જાતા જીપનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો જ્યારે બસને પણ નુકસાન થયું હતું.