ગંભીર@વિજાપુર: પરિણિતાને ત્રાસથી વિખવાદ, પરિવાર તુટતા સંતાનો અલગ

અટલ સમાચાર, મહેસાણા વિજાપુરના પરિવારમાં સામાજીક અણબનાવને પગલે ગંભીર સ્થિતિ બની હોવાનું સામે આવ્યુ છે. યુવતિએ મનપસંદ યુવક સાથે કેટલાક વર્ષ સંબંધો કેળવ્યા બાદ લગ્ન કર્યા હતા. જોકે બંનેની પસંદગીથી લગ્નને અંતે સાંસારિક જીવન શરૂ થતા ભડકો થયો છે. પરિણિતાએ પતિ અને સાસુ-સસરા વિરૂધ્ધ મારઝુડ અને તિરસ્કાર કર્યાની પોલીસ ફરીયાદ નોંધાવી છે. જેમાં પતિ-પત્નિ દૂર
 
ગંભીર@વિજાપુર: પરિણિતાને ત્રાસથી વિખવાદ, પરિવાર તુટતા સંતાનો અલગ

અટલ સમાચાર, મહેસાણા

વિજાપુરના પરિવારમાં સામાજીક અણબનાવને પગલે ગંભીર સ્થિતિ બની હોવાનું સામે આવ્યુ છે. યુવતિએ મનપસંદ યુવક સાથે કેટલાક વર્ષ સંબંધો કેળવ્યા બાદ લગ્ન કર્યા હતા. જોકે બંનેની પસંદગીથી લગ્નને અંતે સાંસારિક જીવન શરૂ થતા ભડકો થયો છે. પરિણિતાએ પતિ અને સાસુ-સસરા વિરૂધ્ધ મારઝુડ અને તિરસ્કાર કર્યાની પોલીસ ફરીયાદ નોંધાવી છે. જેમાં પતિ-પત્નિ દૂર થતા સંતાનો પણ અલગ થયાનું સામે આવ્યુ છે.ગંભીર@વિજાપુર: પરિણિતાને ત્રાસથી વિખવાદ, પરિવાર તુટતા સંતાનો અલગ

મહેસાણા જીલ્લાના વિજાપુર શહેરની પરિણિતા પ્રીતી પટેલે દહેજની માંગણી કરતા પતિ અને સાસુ-સસરા તેમજ દિયર-દેરાણી સામે વિજાપુર પોલીસ મથકે ફરીયાદ કરી છે. જેમાં પરિણિતાને માનસિક ત્રાસ આપી તુ બહારની હોઇ પતિ નવનિતને પરાણે ગળે પડી હોવાના મ્હેણાં અપાતા હતા. આ દરમ્યાન અવાર-નવાર ઝઘડો થતાં સમાધાનની વાત સામે આવી હતી. જેમાં પરિણિતાને સમાધાન કરવાના બહાને બોલાવી તિરસ્કાર કરી દહેજની માંગણી કરી હતી.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, પરિણિતા અને પતિ વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી સંબંધ હોઇ એક જ સમાજના નાતે લગ્નગ્રંથિથી જોડાયા હતા. જોકે લગ્નના ગણતરીના વર્ષોમાં બંને વચ્ચે સંબંધોના આક્ષેપથી પરિવારમાં તંગદીલી ઉભી થઇ હતી. દંપતિને બે સંતાનો વચ્ચે પણ આંતરીક વિખવાદ ચરમસીમાએ પહોંચી ગયો હતો. જેમાં સામાજીક રીતે સમાધાન નહિ થતાં પરિવાર તુટતાં સંતાનો અલગ થયા છે. જેમાં પરિણિતા પાસે તેની દીકરી જ્યારે પતિ પાસે દીકરો છે. પતિ-પત્નિ અલગ-અલગ રહેતા હોઇ સંતાનો ઉપર માઠી અસર થઇ છે.

પતિના અફેરને કારણે પરિવાર વેર-વિખેર થયાનું લખાવ્યું

પરિણિતા પ્રીતી પટેલે વિજાપુર પોલીસ મથકે આપેલી ફરીયાદમાં પતિ વિરૂધ્ધ ગંભીર આક્ષેપો સાથેની રજૂઆત કરી છે. જેમાં પોતાના પતિને અન્ય યુવતિ સાથે અફેર હોવાથી તેને લાવવા પરેશાન કરે છે. પરિણિતા પોતાના પતિને અન્ય યુવતિ સાથે અનેકવાર જોઇ ગઇ હોવાનું કહી વિખવાદમાં અફેર કારણભૂત બન્યાનું ફરીયાદને પગલે સામે આવ્યુ છે. પરિણિતા પતિના અફેરથી ત્રાહીમામ્ બની હોઇ આપઘાત કરવાની પણ કોશિષ કરી હોવાનું ફરીયાદમાં જણાવ્યુ છે.

કોના વિરૂધ્ધ ફરીયાદ ?

  • નવનીતભાઇ પરષોત્તમદાસ પટેલ
  • પટેલ પરષોત્તમદાસ
  • પટેલ લક્ષ્મીબેન પરષોત્તમદાસ
  • કૌશિકભાઈ પરષોત્તમદાસ પટેલ
  • મધુબેન કૌશિકભાઈ પટેલ