શંખેશ્વર: લોલાડા નાગણેશ્વરી મંદીર ખાતે દેવીભાગવત કથા યોજાઈ
અટલ સમાચાર, શંખેશ્વર પાટણ જીલ્લાના શંખેશ્વર તાલુકાના લોલાડા ખાતે નાગણેશ્વરી માતાજી ટ્રસ્ટ આયોજિત દેવી ભાગવત સપ્તાહ કથા યોજાઇ હતી. નાગણેશ્વરી માતાજી મંદિર લોલાડા ખાતે ગૌશાળાના લાભાર્થે દેવીભગવત કથાનું સુંદર આયોજન થયું હતુ. જેમાં વઢિયાર વિસ્તારની ધર્મપ્રેમી જનતાએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કથા રસપાનનો લાભ લીધો હતો. નાગણેશ્વરી માતાજીના મંદિરે મહંત શિવાનંદબાપુની નિશ્રામાં યોજાયેલી દેવીભાગવત કથામાં
Mar 22, 2019, 12:13 IST
અટલ સમાચાર, શંખેશ્વર
પાટણ જીલ્લાના શંખેશ્વર તાલુકાના લોલાડા ખાતે નાગણેશ્વરી માતાજી ટ્રસ્ટ આયોજિત દેવી ભાગવત સપ્તાહ કથા યોજાઇ હતી. નાગણેશ્વરી માતાજી મંદિર લોલાડા ખાતે ગૌશાળાના લાભાર્થે દેવીભગવત કથાનું સુંદર આયોજન થયું હતુ. જેમાં વઢિયાર વિસ્તારની ધર્મપ્રેમી જનતાએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કથા રસપાનનો લાભ લીધો હતો. નાગણેશ્વરી માતાજીના મંદિરે મહંત શિવાનંદબાપુની નિશ્રામાં યોજાયેલી દેવીભાગવત કથામાં મુખ્ય દાતા ભીખુભા વાઢેર (રાઠોડ) પરિવાર ઊપસ્થિત રહ્યો હતો.