શ્રધ્ધાઃ એક સાંધો ત્યાં તેર તૂટે એવી સ્થિતિને દૂર કરશે લવિંગનો આ સરળ ઉપાય

અટલ સમાચાર, ડેસ્ક દરેક વ્યક્તિના જીવનમાં કેટલીક સમસ્યાઓ હોય છે, પરંતુ એવા સમયે હોય છે જ્યારે વ્યક્તિ ખૂબ જ ખરાબ તબક્કામાંથી પસાર થાય છે. ઘણી વખત એક પછી એક સમસ્યાઓ આવતા વ્યક્તિ ઘોર નીરાશામાં સરકી પડે છે. જીવનમાં એક પછી એક સમસ્યાઓ આવે અને તે દૂર કરવાનો કોઈ ઉપાય નથી સુઝતો. જો તમને પણ આવો
 
શ્રધ્ધાઃ એક સાંધો ત્યાં તેર તૂટે એવી સ્થિતિને દૂર કરશે લવિંગનો આ સરળ ઉપાય

અટલ સમાચાર, ડેસ્ક

દરેક વ્યક્તિના જીવનમાં કેટલીક સમસ્યાઓ હોય છે, પરંતુ એવા સમયે હોય છે જ્યારે વ્યક્તિ ખૂબ જ ખરાબ તબક્કામાંથી પસાર થાય છે. ઘણી વખત એક પછી એક સમસ્યાઓ આવતા વ્યક્તિ ઘોર નીરાશામાં સરકી પડે છે. જીવનમાં એક પછી એક સમસ્યાઓ આવે અને તે દૂર કરવાનો કોઈ ઉપાય નથી સુઝતો. જો તમને પણ આવો અનુભવ થતો હોય કે જીવનમાં સમસ્યાઓ હલ નથી થઇ રહી તો અજમાવી જુઓ આ ખાસ ઉપાય.

રસોડામાં સરળતાથી મળી રહેલ લવિંગના કેટલાક ઉપાય કરવાથી ભાગ્યોદય થાય છે. આ ઉપાયો કરવાથી તમારા જીવનની સમસ્યાઓ દૂર થવા લાગે છે. તો ચાલો જાણીએ લવિંગનો ઉપાય દરેક પૂજામાં લવિંગનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે. આથી લવિંગ વગર પૂજા અધુરી માનવામાં આવે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

જો તમે ખરાબ સમયથી પસાર થઇ રહ્યો છે તો સરસોના તેલમાં દીપ પ્રગટાવીને તેમાં થોડા લવિંગ ઉમેરો. હવે આનાથી હનુમાનજીની પૂજા કરો આ દીપકથી કષ્ટભંજનની આરતી ઉતારો. આ કાર્યને નિયમિત કરશો તો ખરાબ સમય દૂર થઇ જશે. અનિષ્ટ તત્વનો કાયમી નાશ થશે અને પ્રગતિ થશે.

ઘરમાં નકારાત્મક ઉર્જાને કારણે પણ સમસ્યાઓ ઉભી થાય છે. જો તમારા ઘરમાં પણ નકારાત્મક ઉર્જાની અસર જોવા મળે તો પછી દરરોજ સવારે સ્નાન કર્યા પછી વાસણમાં કપુરની સાથે બે લવિંગ બાંધી પૂજા કરો. આ પછી તમારા ઘરની આજુબાજુ ફેરવો. જો તમને બિઝનેસમાં મુશ્કેલી આવી રહી છે તો આ ઉપાય ઓફિસ, દુકાન વગેરેમાં પણ કરી શકો છો.

જો તમે શત્રુઓથી પરેશાન છો તો કોઈ પણ શનિદેવના મંદિરે જાવ અથવા દર મંગળવારે ઘરે બજરંગ બાણનો શ્રદ્ધા અને વિશ્વાસ સાથે પાઠ કરો. ભગવાન હનુમાનને બુંદીના લાડુનો પ્રસાદ ધરાવો. પાંચ લવિંગ લઈને પૂજા સ્થળ પર સળગાવો. કપાળ પર તેની રાખ સાથે તિલક કરો. આ તમને દુશ્મન તેમજ જીવનમાં આવતા અવરોધોથી મુક્તિ અપાવશે.

જો તમે નોકરી માટે અથવા અન્ય કોઇ મહત્વપૂર્ણ કામ માટે જઈ રહ્યા છો, તો હનુમાન મંદિરમાં જાઓ અને લીંબુની ઉપર 4 લવિંગ મૂકો. તેને હનુમાનજીની સામે મુકો. આ પછી, “ૐ શ્રી હનુમતે નમ:” આ મંત્રનો 21 વાર જાપ કરો અને ભગવાનને સફળતાની ઇચ્છા દર્શાવો. કામ પર જતાં તે લીંબુને ત્યાં જ લઈ જાઓ. એવું માનવામાં આવે છે કે આનાથી સફળતા મળે છે.

નોંધ: આ તમામ ઉપાયો શાસ્ત્રોમાં વર્ણવેલા છે. આ તમામ સાત્વીક ઉપાયો કરવાથી જરૂર સફળતા મળે છે. જો કે કોઇ અંધશ્રદ્ધા ફેલાવવાનો અમારો આશય નથી કે અમે કોઇ આવી અંધશ્રદ્ધામાં વિશ્વાસ કરતા નથી. ઇશ્વર પર શ્રદ્ધા અને મહેનત કરવામાં આવે તો જીવનમાં કોઇ કાર્ય મુશ્કેલ નથી.