શિરવાડા ગામે 1100 પીંપળાના છોડવા રોપી “પીંપળવન”નું નિર્માણ કર્યું, સરાહનીય કાર્ય
ભગવાન રાયગોર કાંકરેજ
સમગ્ર દેશમાં વધતા જતાં ગ્લોબલ વોર્મિંગના પ્રમાણના કારણે અને લીલા વૃક્ષોનુ થઇ રહેલ આડેધડ નિકંદનના કારણે જમીનમાં ગ્લોબલ વોર્મિગના પ્રમાણને ઓકિસજનનુ પ્રમાણ ઓછુ થઇ રહ્યુ છે.તેના પ્રમાણમાં કાર્બનડાયોકસાઇડના વધતાં જતાં પ્રમાણને પહોચીં વળવા માટે પિંપળાના ઝાડમાં નાઇટ્રોજનનુ પ્રમાણ વધારે હોય છે.એના ભાગરુપે પર્યાવરણ અને પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યકત કરવા માટે કાંકરેજ તાલુકાના શિરવાડા ખાતે પ.પુ.બ્રહ્મલીન શ્રી આનંદપ્રકાશબાપુની જન્મ શતાબ્દી નિમિતે શિરવાડા ગ્રામ પંચાયત સરપંચ ગીતાબેન કરશનભાઇ જોષી,તેમજ કરશનભાઇ શંકરભાઇ જોષી તેમના માતા-પિતાની યાદમાં “નર્મદા શંકર પીંપળવન” નુ શુભ ઉધ્ધાટન સંત સ્વામી નિજાનંદ બાપુ(બ્રહ્મચારી આશ્રમ,ગોતરકા),ઉધ્ધાટક અને આશિર્વચન,તેમજ મુખ્ય મહેમાન કિર્તિસિંહજી વાધેલા-ધારાસભ્ય કાંકરેજ,જીતુભાઇ પટેલ- ગ્રીન એમ્બેસેડર,અતિથી વિશેષ વિજયભાઇ પટેલ-પ્રમુખ પ્રકૃતિ મંડળ,મહેસાણા,બાબુભાઇ જોષી-મામલતદાર કાંકરેજ,અનિલભાઇ ત્રિવેદી-ટી.ડી.ઓ.કાંકરેજ,નિતિનભાઇ પટેલ-પ્રમુખ મેટ્રીકોન ફાઉન્ડેશન,આર.સી.મકવાણા-આર.એફ.ઓ, કાંકરેજ વગેરે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો.
પધારેલ સંતનુ શાલ,ફુલહાર,અને એક પીંપળાનુ ઝાડ આપી સન્માન કરવામાં આવ્યુ.સન્માન કાર્યક્રમ બાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પર્યાવરણને અનુરુપ પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યુ હતુ.આ કાર્યક્રમમાં નિલેષભાઇ રાજગોર દ્વારા ઉપસ્થિત ગ્રામજનોને શપથ ગ્રહણ કરાયા હતા.કાંકરેજ રેન્જ ફોરેસ્ટની ટીમના સહયોગથી સમગ્ર વૃક્ષારોપણ કામગીરી કરવામાં આવી હતી.