સ્પેશ્યલ@દેશ: આજે વિશ્વ સ્વાસ્થ્ય દિવસ, આવો સ્વસ્થ રહેવા માટે આટલુ કરીએ, જાણો વધુ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(WHO) દ્ઘારા 7 એપ્રિલના દિવસને વિશ્વ સ્વાસ્થ્ય દિવસ જાહેર કરવામાં આવ્યો છે. આ દિવસના માઘ્યમ દ્ધારા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનો ઘ્યેય લોકોને ખાસ રૂપે એચ.આઇ.વી, ક્ષય રોગ, મેલેરીયા જેવી મહાબીમારીઓ માટે જાગૃત કરવાનો છે. આજે વિશ્વ ચિકિત્સાના ક્ષેત્રમાં ઘણું આગળ વઘી ગયું છે. પણ બીજી તરફ લોકોની કથળતી જતી
Apr 7, 2021, 13:31 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(WHO) દ્ઘારા 7 એપ્રિલના દિવસને વિશ્વ સ્વાસ્થ્ય દિવસ જાહેર કરવામાં આવ્યો છે. આ દિવસના માઘ્યમ દ્ધારા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનો ઘ્યેય લોકોને ખાસ રૂપે એચ.આઇ.વી, ક્ષય રોગ, મેલેરીયા જેવી મહાબીમારીઓ માટે જાગૃત કરવાનો છે. આજે વિશ્વ ચિકિત્સાના ક્ષેત્રમાં ઘણું આગળ વઘી ગયું છે. પણ બીજી તરફ લોકોની કથળતી જતી જીવનશૈલીને કારણે બીમારીઓ પણ વઘી રહી છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
સ્વાસ્થ્યને લઇને આજે વ્યક્તિએ પોતે વઘુ જાગૃત થવાની જરૂર છે. આવો વિશ્વ સ્વાસ્થ્ય દીવસ નિમિતે આવનારા દિવસોમાં, આવનારા વર્ષોમાં અને સમગ્ર જીવન દરમિયાન આપણું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે તે માટે કેટલાંક સંકલ્પ કરીએ.
- સંતુલિત આહાર: વ્યસ્ત બનતી જતી જીવનશૈલીને કારણે આ નિયમ જાળવવો લોકો માટે દિવસેને દિવસે અઘરો બનતો જઇ રહ્યો છે. પણ થોડો સમય ફાળવીને, ઘ્યાન દઇને જો સંતુલિત આહારનું સેવન કરશો તો તમારા શરીરને તમે અનેક બીમારીઓ સામે રક્ષણ પુરું પાડશો, કારણ કે તમારો આહાર જ તમારા સ્વાસ્થ્યનું નિમાર્ણ કરે છે.
- વ્યાયામ અપનાવો: આજે તણાવ અને ભાગદોડથી ભરેલું જીવન તો બહુ સામાન્ય બની ગયું છે.આ સમસ્યાઓથી બચવા વ્યાયામ કરો અને ફિટ રહો.
- સમયસર તપાસ કરાવો: બીમારીઓથી બચવું હોય તો તોઇપણ બીમારીમાં ચિકિત્સા કરાવવામાં સહેજપણ વિલંબ કે આળસ ન કરશો.તેની સમયસર તપાસ કરાવી યોગ્ય દિશામાં દવા લેવાનું શરૂ કરજો.
- તણાવમુક્તિ: તણાવમુક્ત થઇને તમે તમારા તમામ કાર્યો સરળતાથી અને સમયસર કરી શકો છો. માટે તણાવમુક્ત થવાનો પ્રયાસ કરો.
- પુરતી ઊંઘ: તણાવમુક્ત રહેવા માટે પુરતી ઊંઘ પણ એટલી જ જરૂરી છે. સમયસર ઊંઘવાની અને સમયસર જાગવાની ટેવ પાડો. જોકે, બીમારી કોઇને પણ , ગમે ત્યારે થઇ શકે છે. માટે તેનાથી બચવાના દરેક સંભવ પ્રયાસો કરતા રહો. આ માટે ઉપરની ખાસ ટેવો અપનાવી આજીવન તમે સ્વસ્થ-તંદુરસ્ત રહી શકશો.