સ્પેશ્યલ@દેશ: આજે પંડીત દિનદયાળ ઉપાધ્યાયની 105મી જન્મજયંતિ, દિગ્ગજોએ ટ્વિટ કરી યાદ કર્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક દેશભરમાં આજે પંડિત દીનદયાળ ઉપાધ્યાય 105મી જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે. આ પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદીથી લઇ તમામ દિગ્ગજોએ તેમને નમન કર્યા છે. દીનદયાળનો જન્મ આ દિવસે એટલે કે 25 સપ્ટેમ્બર 1916 ના રોજ યુપીના મથુરામાં થયો હતો. પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું, ‘અભિન્ન માનવ દર્શનના પ્રણેતા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીને
 
સ્પેશ્યલ@દેશ: આજે પંડીત દિનદયાળ ઉપાધ્યાયની 105મી જન્મજયંતિ, દિગ્ગજોએ ટ્વિટ કરી યાદ કર્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દેશભરમાં આજે પંડિત દીનદયાળ ઉપાધ્યાય 105મી જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે. આ પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદીથી લઇ તમામ દિગ્ગજોએ તેમને નમન કર્યા છે. દીનદયાળનો જન્મ આ દિવસે એટલે કે 25 સપ્ટેમ્બર 1916 ના રોજ યુપીના મથુરામાં થયો હતો. પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું, ‘અભિન્ન માનવ દર્શનના પ્રણેતા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીને તેમની જન્મજયંતિ પર સલામ. તેમણે રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું જીવન સમર્પિત કર્યું. તેમના વિચારો હંમેશા દેશવાસીઓને પ્રેરણા આપતા રહેશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદમાં મણિનગર ખાતે પંડિત દિનદયાળની પ્રતિમાને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. આ અવસરે અમદાવાદના મેયર કિરીટ પરમાર મણિનગરના ધારાસભ્ય સુરેશ પટેલ અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ, શહેર ભાજપ પ્રમુખ અમિત શાહ,મ્યુનીસીપલ કાઉન્સિલરો અને અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આ સાથે ગૃહમંત્રીએ ટ્વિટર પર એક વીડિયો શેર કરીને પંડિત જીને શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે લખ્યું કે, ‘દૂરંદેશી રાજકારણી પં. દીનદયાલ ઉપાધ્યાય જીએ સમયાંતરે વિવિધ પડકારો અને સમસ્યાઓના ઉકેલ માટે પોતાના વિચારો અને ફિલસૂફીથી દેશને માર્ગદર્શન આપ્યું. પંડિત જીનો અભિન્ન માનવતાવાદ અને અંત્યોદયનો મંત્ર હંમેશા જનકલ્યાણ અને રાષ્ટ્રની સેવા માટે આપણને પ્રેરણા આપશે.

આ તરફ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે લખ્યું, ‘અખંડ માનવતાવાદ જેવા પ્રગતિશીલ આર્થિક વિચારના પ્રણેતા અને અંત્યોદય માટે જીવનભર કામ કરનાર પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીને તેમની જન્મજયંતિ પર ઘણી શ્રદ્ધાંજલિ. તેમની સેવા અને સમર્પણનો મંત્ર આપણને પ્રેરણા આપે છે. તેમના વિચારો અને દર્શન ભારતની આવનારી પેઢીઓને પ્રેરણા આપતા રહેશે.