સ્પેશ્યલ@દિવસ: આર્ષદ્રષ્ટા અને બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકર
અટલ સમાચાર,ડેસ્ક
આખો દેશમાં કોરોનાને લઇ લોકડાઉની સ્થિતિ વચ્ચે લોકો પોતાના ઘરમાં જ બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરી રહ્યા છે. આંબેડકરનો જન્મ 14 એપ્રિલ 1891માં થયો હતો. સમાજના શોષિત અને વંચિત વર્ગને અવાજ આપવા માટે ડો. આંબેડકરે પોતાનું આખું જીવન તેમની ઉત્થાનમાં વિતાવ્યુ હતુ. આખુ જીવનભર તેમના હકો માટે લડતા રહ્યા. જોકે કોરોના વાયરસને કારણે સરકારે લોકોને આ સમયે ઘરે રહીને આંબેડકર જયંતિની ઉજવણી કરવાની અપીલ કરી છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
बाबासाहेब डॉ. भीमराव अम्बेडकर को उनकी जयंती पर सभी देशवासियों की ओर से विनम्र श्रद्धांजलि। #AmbedkarJayanti pic.twitter.com/ddDiD8HAe5
— Narendra Modi (@narendramodi) April 14, 2020
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાબાસાહેબને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી છે. વડાપ્રધાન મોદીએ ટ્વિટ કર્યુ હતુ. જેમાં તેમણે કહ્યુ હતુ કે,”બાબાસાહેબ ડો.ભીમરાવ આંબેડકરની તેમની જન્મજયંતિ પર તમામ દેશવાસીઓ તરફથી નમ્ર શ્રદ્ધાંજલિ. દેશભરમાં કોરોના વાયરસને લઇ લોકડાઉન હોવાથી જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ છે. તેથી સામાજિક ન્યાય અને કેન્દ્ર સરકારના સશક્તિકરણ મંત્રી થાવરચંદ ગેહલોતે પણ ભારતરત્ન બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ ઘરની અંદર રહીને ઉજવવા અપીલ કરી છે.
સિમ્બોલ ઓફ નોલેજ બાબાસાહેબ આંબેડકરનું જીવન:
બાબા સાહેબ મહાર જાતિમાંથી આવતા હતા જેને તે સમયે અસ્પૃશ્ય માનવામાં આવતી હતી. આંબેડકરને બાળપણમાં સમાજના ભેદભાવપૂર્ણ વર્તનનો સામનો કરવો પડ્યો હતો. તેઓને શાળામાં અલગ બેસાડવામાં આવતા હતા. ઉચ્ચ જાતિના બાળકો તેમની સાથે યોગ્ય રીતે વાત કરતા નહોતા. આંબેડકરને આ ખૂબ જ વેધન લાગતું હતું અને તેમણે ખૂબ જ નાની ઉંમરે સમાજમાંથી આ ભેદભાવને દૂર કરવાનો સંકલ્પ લીધો હતો.
ડો.આંબેડકરે તેમના જીવનમાં સમાજમાંથી ભેદભાવને દૂર કરવાનું લક્ષ્ય બનાવ્યું હતું અને આ પરિપૂર્ણ કરવા માટે તેમણે શિક્ષણને એક શસ્ત્ર બનાવ્યું હતું. બાળપણથી જ બાબાસાહેબે અધ્યયનમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું અને તેના પરિણામે, વર્ષ 1912માં બોમ્બે યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સમાં સન્માન પૂર્ણ કર્યા પછી, તેઓ વધુ અભ્યાસ માટે અમેરિકા ગયા હતા. આંબેડકરના વિદેશ અભ્યાસનો ખર્ચ બરોડાના શાસકે ઉઠાવ્યો હતો. અહીં અભ્યાસ કર્યા પછી, બાબાસાહેબે વર્ષ 1921માં લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો. અભ્યાસ પૂર્ણ કર્યા પછી, આંબેડકરે ઘણા વિદ્યાર્થીઓની જેમ નોકરી શરૂ કરી. આની વચ્ચે, એક દિવસ તેમણે બધું છોડી દીધું અને સામાજિક આંદોલનમાં કૂદકો લગાવ્યો. તેમણે 1936માં લેબરપાર્ટીની રચના કરી. આ પહેલા પણ તેઓ વિવિધ સામાજિક આંદોલનનું નેતૃત્વ કરી ચૂક્યા છે.
આ પછી જ્યારે નિર્ણય કરવામાં આવ્યો કે 15 ઓગસ્ટ, 1947ના રોજ દેશ આઝાદ થશે, ત્યારે તેમની બુધ્ધિક્ષમતાને કારણે તેમને બંધારણની રચના કરવાની મહત્વપૂર્ણ જવાબદારી મળી. તેમણે તે સમયે ભારત માટે એક બંધારણ બનાવ્યું હતું જે સમાજના દરેક વર્ગને સમાન આદર અને અવાજ આપે છે. દેશની આઝાદી પછી, તેઓ ભારતના પ્રથમ કાયદાપ્રધાન બન્યા. ડો.આંબેડકરના જીવનની એક મોટી ઘટના વર્ષ 1956માં બની હતી જ્યારે તેમણે હજારો લોકો સાથે બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો હતો. આંબેડકરનું તે જ વર્ષે અવસાન થયું હતું. ડો. આંબેડકરને 1990માં મરણોત્તર ભારતરત્નથી નવાજવામાં આવ્યા હતા.