નવસારીઃ પિતાએ દીકરાના ગળા પર કુહાડીના ઘા મારી હત્યા કરી

અટલ સમાચાર, ડેસ્ક નવસારીના વાંસદાના સરા ગામે બાપે દીકરાના ગળા પર કુહાડી ના ઘા મારી નિર્મમ હત્યા કરી દીધી હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ગુરુવારની રાત્રે થયેલા ઝઘડા બાદ આજે પુત્ર પર નિંદ્રાવસ્થામાં હુમલો કરી હત્યા કરાઈ હોવાનું જાણવા મળ્યું છે. જોકે, ઘટના બાદ સ્થળ પર પહોંચેલી 108ની ટીમે યુવાનને મૃત જાહેર કરતા પોલીસ
 
નવસારીઃ પિતાએ દીકરાના ગળા પર કુહાડીના ઘા મારી હત્યા કરી

અટલ સમાચાર, ડેસ્ક

નવસારીના વાંસદાના સરા ગામે બાપે દીકરાના ગળા પર કુહાડી ના ઘા મારી નિર્મમ હત્યા કરી દીધી હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ગુરુવારની રાત્રે થયેલા ઝઘડા બાદ આજે પુત્ર પર નિંદ્રાવસ્થામાં હુમલો કરી હત્યા કરાઈ હોવાનું જાણવા મળ્યું છે. જોકે, ઘટના બાદ સ્થળ પર પહોંચેલી 108ની ટીમે યુવાનને મૃત જાહેર કરતા પોલીસ દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે મરનાર સરમુખ અરવિંદ ગામીત(ઉ.વ. 36 રહે સરા ગામ ઝાડી ફળિયું વાંસદા)ને બે પુત્રો છે. એક શ્રીકાંત ધોરણ-8 માં અને દીક્ષિત ધોરણ-10 માં અભ્યાસ કરે છે. ફળિયામાં દુકાન પરથી સામાન લઈ ઘરે આવ્યા બાદ દાદા ગભરાયેલી હાલતમાં લોહીના ડાઘ વાળા કપડાં બદલી રહ્યા હતા અને બીજી બાજુ જમીન પર પપ્પા લોહીથી ખરડાયેલી હાલતમાં પડેલા હોવાનું બન્ને પુત્રો જણાવી રહ્યા છે. જોકે, હાલ વાંસદા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.