સ્પેશ્યલ@ગુજરાત: કોરોનાના કહેર વચ્ચે સાઇલન્ટ કૅરિયર્સનું જોખમ વઘ્યું, જાણો વધુ

અટલ સમાચાર,ડેસ્ક અમદાવાદમાં ગુરુવારે કોરોના વાયરસના એક સાથે 58 પોઝિટિવ કેસ આવતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. જે બાદમાં શુક્રવારે પણ શહેરમાં એક સાથે 11 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આમ બે જ દિવસમાં શહેરમાં 69 પોઝિટિવ કેસ નોંધાયા છે .આ બધાના “સાઇલેન્ટ કૅરિયર”તંત્ર માટે માથાનો દુઃખાવો બન્યા છે. સાઇલેન્ટ કૅરિયર એવા દર્દીઓ છે જેનામાં
 
સ્પેશ્યલ@ગુજરાત: કોરોનાના કહેર વચ્ચે સાઇલન્ટ કૅરિયર્સનું જોખમ વઘ્યું, જાણો વધુ

અટલ સમાચાર,ડેસ્ક

અમદાવાદમાં ગુરુવારે કોરોના વાયરસના એક સાથે 58 પોઝિટિવ કેસ આવતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. જે બાદમાં શુક્રવારે પણ શહેરમાં એક સાથે 11 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આમ બે જ દિવસમાં શહેરમાં 69 પોઝિટિવ કેસ નોંધાયા છે .આ બધાના “સાઇલેન્ટ કૅરિયર”તંત્ર માટે માથાનો દુઃખાવો બન્યા છે. સાઇલેન્ટ કૅરિયર એવા દર્દીઓ છે જેનામાં કોરોનાના કોઈ જ લક્ષણો જોવા મળતા નથી છતાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવે છે. આ જ કારણે તંત્ર માટે કોરોનાના દર્દીઓને શોધી કાઢવામાં મુશ્કેલી પડી રહી છે. અમદાવાદ સહિત રાજ્યમાં સાઇલન્ટ કૅરિયરના કેટલાક દાખલા જોઇએ.

સ્પેશ્યલ@ગુજરાત: કોરોનાના કહેર વચ્ચે સાઇલન્ટ કૅરિયર્સનું જોખમ વઘ્યું, જાણો વધુ
file photo

સાઇલન્ટ કૅરિયર્સને શોધવા તંત્ર શું કરશે?

ગુજરાતના અલગ અલગ શહેરમાં સામે આવી રહેલા સાઇલન્ટ કૅરિયર્સના કિસ્સા બાદ તંત્ર જે વ્યક્તિનો કોરનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોય તેવા વિસ્તારમાં તેની આસપાસ રહેતા લોકોના રેન્ડમ સેમ્પલ લઈ રહ્યું છે. આ જ રીતે લેવામાં આવેલા સેમ્પલમાં સફી મંજિલમાં 30 લોકો ઓળખાયા હતા. આ માટે કોરોનાના લક્ષણો ન હોય તેવા વ્યક્તિઓના પણ સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. આથી કોઇ સાઇલન્ટ કૅરિયર હોય તો તે ધ્યાનમાં આવી શકે. આ ઉપરાંત જ્યાં વધારે પ્રમાણમાં કેસ સામે આવે છે તે આખા વિસ્તારને ક્લસ્ટર ક્વૉરન્ટીન કરીને વધારેમાં વધારે સેમ્પલ લેવામાં આવી રહ્યા છે.

ભરૂચમાં આમોદ તાલુકાના ઇખર ગામે અમદાવાદ જેવા જ ચાર સાઇલન્ટ કોરોના વાહક સામે આવ્યા છે. જોકે, આ તમામ લોકો તમિલનાડુના જમાતીઓ હોવાનું સામે આવ્યું છે. આ ચારેય લોકો 17થી 22મી માર્ચ સુધી ઇખર ગામ ખાતે રોકાયા હતા. જે બાદમાં ઇખર ગામની મસ્જિદમાં રોકાયેલા 11 પૈકી ચાર લોકોનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ તમામ લોકોને ગામના એક ખાલી મકાનમાં ક્વૉરન્ટીન કરી દેવામાં આવ્યા છે. આ કેસમાં પણ તમામ લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો ત્યાં સુધી કોઈનામાં કોરોનાના એક પણ લક્ષણ જોવા મળ્યા ન હતા. આથી આ તમામ લોકો સાઇલન્ટ કૅરિયર છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સ્પેશ્યલ@ગુજરાત: કોરોનાના કહેર વચ્ચે સાઇલન્ટ કૅરિયર્સનું જોખમ વઘ્યું, જાણો વધુ

ગુરુવારે અમદાવાદમાં 55 પોઝિટિવ કેસ નોંધાયા. આ 55માંથી 30 કેસ દાણીલીમડાના સફી મંજિલમાં નોંધાયા હતા. એટલે કે આ વિસ્તાર કોરોનાનું એપીસેન્ટર બની ગયું છે. આ તમામ કેસ આરોગ્ય વિભાગની ટીમના સર્વેલન્સ દરમિયાન મળી આવ્યા હતા. હવે સૌથી મોટા આશ્ચર્યની વાત એ છે કે આ લોકોમાં કોરોના વાયરસના કોઈ જ લક્ષણો જોવા મળ્યા ન હતા. તમામ લોકો એકદમ તંદુરસ્ત હોવા છતાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એટલે કે આ તમામ લોકો સાઇલન્ટ કૅરિયર હતા. આ લોકોને પણ અંદાજ ન હતો કે તેઓ કોરોના પોઝિટિવ છે. અહીં એક જ વ્યક્તિને કારણે 30 લોકોમાં ચેપ ફેલાયો હતો. સાઇલન્ટ કોરોના વાહકોથી ફફડાટ અમદાવાદના શફી મંજિલ વિસ્તારમાં જે 30 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે તેમનામાં રિપોર્ટ આવ્યા સુધી કોરોનાના કોઈ જ લક્ષણો જણાયા નથી. આથી આવા સાઇલન્ટ કોરોના વાહકોને કેવી રીતે શોધવા તે સ્વાસ્થ્ય વિભાગ માટે પણ મોટો પ્રશ્ન છે.

સ્પેશ્યલ@ગુજરાત: કોરોનાના કહેર વચ્ચે સાઇલન્ટ કૅરિયર્સનું જોખમ વઘ્યું, જાણો વધુ

સુરતના રાંદેર વિસ્તારમાં એક આધેડનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યાં બાદ મોત નીપજ્યું હતું. જેથી તંત્ર દ્વારા સમગ્ર વિસ્તારમાં લોકોના સેમ્પલ લેવાતા વધુ એક કોરોના પોઝિટિવ કિસ્સો પ્રકારમાં આવ્યો હતો. આ કારણે કારણે તંત્રમાં ચિંતા ફેલાઈ ગઇ છે. સુરતમાં જે દર્દીનું મોત થયું હતું તે અહેસાન પઠાણ અલ અમીન નામના એપાર્ટમેન્ટમાં રહેતો હતો. અહીં વૉચમેન તરીકે કામ કરતા હસન પટેલ નામના 68 વર્ષીય વૃદ્ધને કોરોના લક્ષણ નહીં દેખાવા છતાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા વધી હતી.