નિવેદન@અમદાવાદ: કોરોના કહેર વચ્ચે આ વર્ષે રથયાત્રા થશે કે નહીં ? શું કહ્યું ગૃહમંત્રીએ ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલાં અખાત્રીજના દિવસે ત્રણેય રથનું પરંપરાગત રીતે પૂજન કરવામાં આવે છે અને પરંપરાગત રીતે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાય છે પરંતુ આ વર્ષે રથયાત્રા યોજાશે કે નહિ તેને લઈ અંસમંજસ જોવા મળી રહ્યું છે રથયાત્રા પહેલા મંદિર પરિસમાં ત્રણેય રથનું પરંપરાગત રીતે પૂજન કરવામાં
 
નિવેદન@અમદાવાદ: કોરોના કહેર વચ્ચે આ વર્ષે રથયાત્રા થશે કે નહીં ? શું કહ્યું ગૃહમંત્રીએ ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલાં અખાત્રીજના દિવસે ત્રણેય રથનું પરંપરાગત રીતે પૂજન કરવામાં આવે છે અને પરંપરાગત રીતે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાય છે પરંતુ આ વર્ષે રથયાત્રા યોજાશે કે નહિ તેને લઈ અંસમંજસ જોવા મળી રહ્યું છે રથયાત્રા પહેલા મંદિર પરિસમાં ત્રણેય રથનું પરંપરાગત રીતે પૂજન કરવામાં આવે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અખાત્રીજના દિવસે જમાલપુરમાં ભગવાન જગન્નાથ મંદિરમાં ત્રણેય રથનું વિધિવત રીતે પૂજન કરવામાં આવે છે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી, ટ્રસ્ટી તેમજ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ આ પૂજા વિધિમાં જોડાયા હતા. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ભગવાન જગન્નાથજી આપણા માટે શ્રધ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે. આપણે ભગવાન જગન્નાથને પ્રાર્થના કરી છે કે, મહામારીમાંથી જલદી મુક્તિ મળે, વધુમાં જણાવ્યું હતું કે આ વર્ષે રથયાત્રા યોજાશે કે નહિ તે કહેવું વહેલું છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, જમાલપુર ખાતે મર્યાદિત લોકોની હાજરીમાં જ આ ત્રણેય રથની પૂજાવિધિ સંપન્ન કરવામાં આવી હતી પરંતુ રથયાત્રા કાઢવા અંગે કોઈ નિર્ણય લેવાયો નથી. 24 જૂને થનારી જળયાત્રા યોજવા અંગે પણ હજી નિર્ણય લેવાયો નથી. રાજ્ય સરકારે રથયાત્રા અંગે જણાવ્યા પ્રમાણે સમગ્ર સ્થિતિની સમીક્ષા કર્યા બાદ નિર્ણય રથયાત્રા મામલે નિર્ણય લેવાશે. કોરોના મહામારીને જોતા આ વખતે પણ રથયાત્રા યોજાશે કે નહી તે અંગે અનિશ્ચિતતા જોવા મળી રહી છે.