નિવેદન@ગુજરાત: કેન્દ્રના નવા કરારથી અમૂલ ડેરી પણ બરબાદ થઇ જશે: રાકેશ ટિકૈત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક ખેડૂત નેતા રાકેશ ટિકૈતના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. રાકેશ ટિકૈત સાથે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ જોડાયા છે. ત્યારે તેમણે વડોદરામાં નિવેદન આપ્યું હતું. ટિકૈતે આજે ગાંધી આશ્રમથી પ્રવાસની શરૂઆત કરી હતી. ગાંધી આશ્રમ બાદ તેઓ કરમસદમાં સરદાર સ્મારકની મુલાકાત લીધી હતી. ત્યારબાદ વડોદરામાં છાણી ગુરુદ્વારામાં દર્શન કર્યા
 
નિવેદન@ગુજરાત: કેન્દ્રના નવા કરારથી અમૂલ ડેરી પણ બરબાદ થઇ જશે: રાકેશ ટિકૈત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ખેડૂત નેતા રાકેશ ટિકૈતના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. રાકેશ ટિકૈત સાથે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ જોડાયા છે. ત્યારે તેમણે વડોદરામાં નિવેદન આપ્યું હતું. ટિકૈતે આજે ગાંધી આશ્રમથી પ્રવાસની શરૂઆત કરી હતી. ગાંધી આશ્રમ બાદ તેઓ કરમસદમાં સરદાર સ્મારકની મુલાકાત લીધી હતી. ત્યારબાદ વડોદરામાં છાણી ગુરુદ્વારામાં દર્શન કર્યા હતા. વડોદરાથી તેમનો ભરૂચના જંબુસરમાં ખેડૂત સભાને સંબોધિત કરશે. સાંજે બારડોલીમાં ટિકૈત ખેડૂત સભાને સંબોધિત કરશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ખેડૂત નેતા રાકેશ ટિકૈતે વડોદરામાં કહ્યું હતું કે, દેશની મુખ્યાધારામાં ગુજરાત સામેલ થશે. દેશમાં કંપનીઓ સરકાર ચલાવે છે. આ ગાંધીની જમીન છે, આંદોલનની જમીન છે. સરકારે ત્રણેય કૃષિ કાયદા પરત લેવા જ પડશે. રાકેશ ટિકૈતે કહ્યું કે યુવાઓ-ખેડૂતો પોતાના હક માટે આગળ આવે. કેન્દ્રના નવા કરારથી અમૂલ ડેરી પણ બરબાદ થઇ જશે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, રાકેશ ટિકૈતે અમદાવાદમાં ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. આ દરમ્યાન તેમણે કહ્યું કે, ગુજરાતનો ખેડૂત સમાજ ફરીથી ઉભો થશે. આગળના સમયમાં બીજા પ્રોગ્રામ બનાવશું. અમારૂ આંદોલન શાંતિપૂર્ણ રીતે ચાલશે. ખેડૂત ફાયદામાં છે તેવું બોલાવવામાં આવી રહ્યું છે. ગુજરાતના ખેડૂત દહેશતમાં છે. ગાંધીનગરને ઘેરી ટ્રેક્ટરથી આંદોલન કરવું પડશે. ગાંધી આશ્રમની મુલાકાત બાદ તેઓ કરમસદ પહોંચ્યા હતા.