આપઘાત@દિયોદર: પતિ અને સસરાના ત્રાસથી પરીણિતાએ દવા પી જીવન ટુંકાવ્યું, 2 સામે FIR

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર દિયોદર તાલુકાના ગામે પતિ અને સાસરીયાના ત્રાસથી પરીણિતાએ ઝેરી દવા પીને આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઇ છે. પ્રાથમિક વિગતો અને મૃતકના માતાની ફરીયાદ મુજબ મહિલાનો પતિ તેને અવાર-નવાર મારઝૂડ કરતો હતો. આ સાથે પરીણિતાના સસરાની ચઢામણીની તેનો પતિ મૃતકને તુ કામ કરતી નથી એવું કહી મારતો હતો. જેથી ફરીયાદીની
 
આપઘાત@દિયોદર: પતિ અને સસરાના ત્રાસથી પરીણિતાએ દવા પી જીવન ટુંકાવ્યું, 2 સામે FIR

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર

દિયોદર તાલુકાના ગામે પતિ અને સાસરીયાના ત્રાસથી પરીણિતાએ ઝેરી દવા પીને આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઇ છે. પ્રાથમિક વિગતો અને મૃતકના માતાની ફરીયાદ મુજબ મહિલાનો પતિ તેને અવાર-નવાર મારઝૂડ કરતો હતો. આ સાથે પરીણિતાના સસરાની ચઢામણીની તેનો પતિ મૃતકને તુ કામ કરતી નથી એવું કહી મારતો હતો. જેથી ફરીયાદીની પુત્રની લાગી આવતાં તમામના ત્રાસથી ગઇકાલે બપોરના સમયે સાસરીમાં જ ઝેરી દવા પી જીવન ટુંકાવી લીધુ હતુ. સમગ્ર મામલે મૃતકની માતાએ મૃતકના પતિ અને સસરા સામે ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના દિયોદર તાલુકાના ચીભડા ગામે પરીણિતાએ આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. ચીભડા ગામને હેતલબેન અશોકભાઇ પ્રજાપતિએ તેમના પતિ અશોકભાઇ અને તેમના સસરા અમરતભાઇના ત્રાસથી આપઘાત કર્યાનો આક્ષેપ મૃતકની માતાએ લગાવ્યો છે. ફરીયાદ મુજબ અગાઉ પણ મહિલાનો પતિ અવાર-નવાર તેમને કામને લઇ માનસિક-શારીરિક ત્રાસ આપતો હતો. જોકે મહિલાના પિયરીઓએ તેને સમજાવીને ત્યાં સાસરીમાં રહેવા જ કહેતાં હતા. આ દરમ્યાન ગઇકાલે પરીણિતાએ પતિ અને સસરાના ત્રાસથી ઝેરી દવા પીને આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઇ છે.

આપઘાત@દિયોદર: પતિ અને સસરાના ત્રાસથી પરીણિતાએ દવા પી જીવન ટુંકાવ્યું, 2 સામે FIR

સૂત્રોએ જણાવ્યું હતુ કે, સાસરીયાના ત્રાસથી પરીણિતાએ જીવન ટુંકાવી લેતાં ચકચાર મચી ગઇ છે. ચાણસ્મા તાલુકાના રૂપપુર ગામના કુંવરબેન જયંતિભાઇ પ્રજાપતિએ નોંધાવેલી ફરીયાદ મુજબ, તેમની દીકરી હેત્તલે તેના પતિ અને સસરાના ત્રાસથી ઝેરી દવા પી આપઘાત કરી લીધો છે. સમગ્ર મામલે દિયોદર પોલીસે મૃતક મહિલાના પતિ અને તેના સસરા સામે ગુનો નોંધ્યો છે. પોલીસે બંને સામે આઇપીસી કલમ 306, 498A, 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.