આપઘાત@પાલનપુર: પ્રેમસંબંધને લઇ ભાગીદારે ધમકી આપતાં યુવકે જીવન ટુંકાવ્યું, 1 સામે FIR
અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર
પાલનપુર તાલુકાના ગામે આશાસ્પદ યુવકે આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઇ છે. ગત દિવસોએ સાઉન્ડનો ધંધો કરતાં યુવકના આપઘાત કેસમાં તેના જ ભાગીદાર સામે દુષ્પ્રેરણની ફરીયાદ નોંધાઇ છે. પ્રાથમિક વિગતો મુજબ આરોપી ઇસમે મૃતક યુવકને તું મારી પત્નિ સાથે પ્રેમસંબંધ કેમ રાખે છે ? તે કહી સમાજમાં બદનામ કરવાની ધમકી આપી અને માનસિક ત્રાસ આપ્યો હતો. જેથી ઇસમના માનસિક ત્રાસ અને દુષ્પ્રેરણના લીધે યુવકે ઘરમાં પંખા માટે લગાવેલ પાઇપ પર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. સમગ્ર મામલે પાલનપુર તાલુકા પોલીસે ઇસમ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
બનાસકાંઠા જીલ્લાના પાલનપુર તાલુકાના ફતેપુર ગામના આશાસ્પદ યુવકે આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઇ છે. ફતેપુરના ફાલ્ગુનસિંહ ઉર્ફે ભવાનસિંહ ભાટી (રાજપુત) (ઉ.વ.26) અને સંજયસિંહ લાલાજી ચૌહાણ(રાજપુત) રહે.લીંબોઇ, તા.વડગામવાળા બંને જણાં સાઉન્ડનો ભાગીદારીમાં ધંધો કરતાં હતા. આ તરફ ગત 9 એપ્રિલના રોજ સંજયસિંહે ફાલ્ગુનસિંહને કહેલ કે, તું મારી પત્નિ સાથે પ્રેમસંબંધ કેમ રાખે છે તેમ કહી સમાજમાં બદનામ કરી નાંખીશ તેવી ધમકીઓ આપી હતી. જે બાદમાં સંજયસિંહ સહિત ત્રણ વ્યક્તિઓ ફાલ્ગુનસિંહને મળવા આવ્યા બાદ તેમન ઘરે પહોંચી આત્મહત્યા કરી લીધી હતી.
સૂત્રોએ જણાવ્યું હતુ કે, ઇસમે યુવકને પોતાની પત્નિ સાથે કેમ સંબંધ રાખે તેવું કહી સમાજમાં બદનામ કરવાની ધમકી આપી હતી. જેથી આશાસ્પદ યુવકે પોતાના ઘરમાં જ પંખા માટે લગાવેલ પાઇપથી સાડલા વડે ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવી દીધુ હતુ. સમગ્ર મામલે મૃતકના ભાઇ પ્રદિપસિંહે આરોપી સંજયસિંહ સામે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે ઇસમ સામે આઇપીસી કલમ 306 મુજબ ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.