સુઇગામ: પુલવામાના શહિદો માટે 25 હજારનો ફાળો એકત્ર કરાયો

અટલ સમાચાર,સુઇગામ બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઇગામ તાલુકામાં પુલાવામાના હુમલાને લઈને રોષની જ્વાલા ઉઠવા પામી છે.ત્યારે, બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઇગામ તાલુકામાં યુવાનો દ્વારા સીઆરપીએફ જવાનો શહીદ થયા હતા. તેમના માટે સુઇગામ તાલુકાના યુવાનો ઘ્વારા એક ઝુંબેશ ઉઠાવી હતી. સુઇગામમાં યુવાનો દ્રારા ઘરે ઘરે ફરીને પાંચસો, હજાર રૂપિયા ઉધરાવીને ફાળો એકત્રિત કર્યો હતો. આ યુવાનોએ અંદાજીત પચીસ
 
સુઇગામ: પુલવામાના શહિદો માટે 25 હજારનો ફાળો એકત્ર કરાયો

અટલ સમાચાર,સુઇગામ

બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઇગામ તાલુકામાં પુલાવામાના હુમલાને લઈને રોષની જ્વાલા ઉઠવા પામી છે.ત્યારે, બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઇગામ તાલુકામાં યુવાનો દ્વારા સીઆરપીએફ જવાનો શહીદ થયા હતા. તેમના માટે સુઇગામ તાલુકાના યુવાનો ઘ્વારા એક ઝુંબેશ ઉઠાવી હતી. સુઇગામમાં યુવાનો દ્રારા ઘરે ઘરે ફરીને પાંચસો, હજાર રૂપિયા ઉધરાવીને ફાળો એકત્રિત કર્યો હતો. આ યુવાનોએ અંદાજીત પચીસ હજાર જેટલો ફાળો ઉઘરાવ્યો હતો. આ ફાળો દેશના જવાનો શહીદ થયા તેમના પરિવારને સુપ્રત કરાશે. મહત્વનું છે કે, ફાળો ઉઘરાવવામાં ગઢવી ભાવેશદાન,રાઠોડ અજિતભાઈ,ગઢવી હિતેશદાન, ચૌહાણ વિજયભાઈ, રાજપૂત યુવરાજસિંહ,ગઢવી મહેશદાન સાથે રહીને ઘરે ઘરે જઈને ફાળો ઉઘરાવ્યો હતો.