સુઇગામ: કુંભારખા પ્રાથમિક શાળાના ધોરણ-8 છાત્રોનો વિદાય સમારંભ યોજાયો

અટલ સમાચાર,સુઇગામ સુઇગામ તાલુકાના કુંભારખા પ્રાથમિક શાળાનાં ધોરણ-8ના છાત્રોનો શુક્રવારે શાળા તરફથી વિદાય સમારંભ યોજાયો હતો. શાળાના શિક્ષકોએ વિદાય લેતા છાત્રોને આગળનો અભ્યાસ સારો રહે અને તેમના જીવનમાં નોંધપાત્ર પ્રગતિ થાય તેમજ શાળાનું નામ રોશન કરો તેવી શુભેચ્છાઓ આપી હતા. આ પ્રસંગે શાળાના ધોરણ 6 અને 7ના વિદ્યાર્થીઓ દ્વારા તિથિભોજન આપ્યું હતું. શાળાના આચાર્ય વશરામભાઈ
 
સુઇગામ: કુંભારખા પ્રાથમિક શાળાના ધોરણ-8 છાત્રોનો વિદાય સમારંભ યોજાયો

અટલ સમાચાર,સુઇગામ

સુઇગામ તાલુકાના કુંભારખા પ્રાથમિક શાળાનાં ધોરણ-8ના છાત્રોનો શુક્રવારે શાળા તરફથી વિદાય સમારંભ યોજાયો હતો. શાળાના શિક્ષકોએ વિદાય લેતા છાત્રોને આગળનો અભ્યાસ સારો રહે અને તેમના જીવનમાં નોંધપાત્ર પ્રગતિ થાય તેમજ શાળાનું નામ રોશન કરો તેવી શુભેચ્છાઓ આપી હતા.
આ પ્રસંગે શાળાના ધોરણ 6 અને 7ના વિદ્યાર્થીઓ દ્વારા તિથિભોજન આપ્યું હતું. શાળાના આચાર્ય વશરામભાઈ ચૌધરી, મહાદેવભાઇ, જીતુભાઇ અને એસ.એમ.સી. સભ્ય આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. સ્ટાફ રાજુભાઇ દ્વારા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું.