સુઇગામ: બીએસએફ જવાનો દ્રારા ગરીબોને રાશનકીટનું વિતરણ કરાયું
અટલ સમાચાર,સુઇગામ (દશરથ ઠાકોર) કોરોના વાયરસને લઇ સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ વચ્ચે બીએસએફ જવાનો દ્રારા ગરીબોને રાશનકીટનું વિતરણ કરવામાં આવી છે. સુઇગામ પંથકના જાખોત્રા નજીક B.O.Pના બી.એસ.એફ જવાનો દ્વારા સેવાકીય પ્રવૃત્તિ સામે આવી છે. પાટણ-બનાસકાંઠા નજીકના સરહદી વિસ્તારમાં B.S.F દ્વારા માનવતાનું કાર્ય કરવામાં આવ્યુ છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો બનાસકાંઠા જીલ્લાના
Apr 8, 2020, 16:30 IST
અટલ સમાચાર,સુઇગામ (દશરથ ઠાકોર)
કોરોના વાયરસને લઇ સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ વચ્ચે બીએસએફ જવાનો દ્રારા ગરીબોને રાશનકીટનું વિતરણ કરવામાં આવી છે. સુઇગામ પંથકના જાખોત્રા નજીક B.O.Pના બી.એસ.એફ જવાનો દ્વારા સેવાકીય પ્રવૃત્તિ સામે આવી છે. પાટણ-બનાસકાંઠા નજીકના સરહદી વિસ્તારમાં B.S.F દ્વારા માનવતાનું કાર્ય કરવામાં આવ્યુ છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
બનાસકાંઠા જીલ્લાના સુઇગામ પંથકમાં બોર્ડર સિક્યુરીટી ફોર્સના જવાનો દ્રારા સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી છે. B.O.Pના બી.એસ.એફ જવાનો દ્વારા એવાલ,જાખોત્રા તેમજ સરહદી ગામોના 50 જરૂરિયાતમંદ કુટુંબોને રાશનકીટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. બી.એસ.એફની 37 બટાલીયનના કમાંડન્ટ વિનોદકુમારના માર્ગદર્શન નીચે ઇન્સ્પેક્ટર બ્રહ્મદેવ ભટ્ટની ઉપસ્થિતિમાં રાશનકીટનું વિતરણ કરાયું હતુ.