સર્વેઃ ગુજરાતની સરકારી શાળાઓના ધો.3થી8ના 81% બાળકોને કડકડાટ ગુજરાતી નથી આવડતું

અટલ સમાચાર, ડેસ્ક ગુજરાતમાં સરકારી શાળાઓનું સ્તર કેટલી હદે નીચુ ગયું છે તેનો એક જીવતોજાગતો પુરાવો સામે આવ્યો છે. રાજય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા એક અધ્યયન પ્રમાણે, સરકારી શાળાઓના ધોરણ 3 થી 8ના 81.47% વિદ્યાર્થીઓ ગુજરાતી ભાષામાં કડકડાટ વાંચી કે લખી નથી શકતા. ગુજરાતીનું અધૂરું જ્ઞાન ગણિત અને વિજ્ઞાન જેવા વિષયો સમજવામાં આડે આવે
 
સર્વેઃ ગુજરાતની સરકારી શાળાઓના ધો.3થી8ના 81% બાળકોને કડકડાટ ગુજરાતી નથી આવડતું

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં સરકારી શાળાઓનું સ્તર કેટલી હદે નીચુ ગયું છે તેનો એક જીવતોજાગતો પુરાવો સામે આવ્યો છે. રાજય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા એક અધ્યયન પ્રમાણે, સરકારી શાળાઓના ધોરણ 3 થી 8ના 81.47% વિદ્યાર્થીઓ ગુજરાતી ભાષામાં કડકડાટ વાંચી કે લખી નથી શકતા. ગુજરાતીનું અધૂરું જ્ઞાન ગણિત અને વિજ્ઞાન જેવા વિષયો સમજવામાં આડે આવે છે તેવો રિપોર્ટમાં ઉલ્લેખ છે.

સર્વેઃ ગુજરાતની સરકારી શાળાઓના ધો.3થી8ના 81% બાળકોને કડકડાટ ગુજરાતી નથી આવડતું

એપ્રિલ 2019માં આ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં ધોરણ 3 થી8ના સરકારી શાળાઓના 43 લાખ વિદ્યાર્થીઓને સામેલ કરવામાં આવ્યા હતા. નવેમ્બર 2018માં હાથ ધરાયેલા અધ્યયનની સરખામણીમાં એપ્રિલ 2019ના સ્ટડીમાં સામાન્ય સુધારો જોવા મળ્યો છે. 2018માં 86.51% વિદ્યાર્થીઓ ગુજરાતી બરાબર લખી કે વાંચી નહોતા શકતા. ગુજરાત સરકાર ઉત્સાહપૂર્વક શાળા પ્રવેશોત્સવ અને ગુણોત્સવ જેવા કાર્યક્રમોને ઘણા વર્ષોથી પ્રોત્સાહન આપી રહી છે.

પરંતુ સ્ટડીમાં બહાર આવેલા સરકારી શાળાના આંકડા નિરાશાજનક છે. સ્ટડીમાં સામે આવ્યું હતું કે, નવેમ્બર 2018માં ધોરણ 6થી8ના 93.73 ટકા વિદ્યાર્થીઓએ વિજ્ઞાનમાં 50 ટકાથી પણ ઓછા ગુણ મેળવ્યા હતા. એપ્રિલ 2019ના સ્ટડી પ્રમાણે, 81.35% ટકા વિદ્યાર્થીઓએ વિજ્ઞાનમાં 50 ટકા ઓછા ગુણ મેળવ્યા. આ જ રીતે નવેમ્બર 2018માં સામાજિક વિજ્ઞાનમાં 75.56 ટકા વિદ્યાર્થીઓએ 50 ટકાથી ઓછા માર્ક મેળવ્યા હતા. તેમની સંખ્યા એપ્રિલ 2019માં ઘટીને 67.51% થઈ.

સૂત્રોના જણાવ્યા અનુસાર મિશન વિદ્યા પ્રોગ્રામ અંતર્ગત નવેમ્બર ૨૦૧૮માં સાયન્ટિફિક મેથડથી વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન થયું હતું. નબળા વિદ્યાર્થીઓના જૂથને સરકારે અલગ તારવ્યું છે અને તેમનું શિક્ષણ સ્તર ઊંચું લાવવા માટે પ્રયાસ શરૂ કર્યા છે. આગામી મહિનાઓમાં ગુજરાતી બરાબર લખી વાંચી શકતા ન હોય તેવા વિદ્યાર્થીઓ 50 ટકાથી પણ ઓછા હોય તેવી આશા છે