સસ્પેન્ડ@મોડાસા: યુવતિના મોતની તપાસમાં બેદરકાર પીઆઈ ક્લિન બોલ્ડ

અટલ સમાચાર, મહેસાણા (પ્રિયકાન્ત શ્રીમાળી) મોડાસા તાલુકાના ગામે યુવતિના મોત સામે તપાસમાં બેદરકારી દાખવનાર પીઆઇને સસ્પેન્ડ કરતા ખળભળાટ મચી ગયો છે. યુવતિના પરીજનોની રજુઆત બાદ ન્યાય સંગત ફરજમાં પીઆઇ દ્રારા ઘોર બેદરકારી દાખવતાં નિષ્ફળ ગયા હોવાનું સ્પષ્ટ થયુ છે. જેમાં કેસની ગંભીરતાને પગલે પોલીસ વિભાગ દ્રારા પીઆઇ એન.કે.રબારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાથે યુવતીના
 
સસ્પેન્ડ@મોડાસા: યુવતિના મોતની તપાસમાં બેદરકાર પીઆઈ ક્લિન બોલ્ડ

અટલ સમાચાર, મહેસાણા (પ્રિયકાન્ત શ્રીમાળી) 

મોડાસા તાલુકાના ગામે યુવતિના મોત સામે તપાસમાં બેદરકારી દાખવનાર પીઆઇને સસ્પેન્ડ કરતા ખળભળાટ મચી ગયો છે. યુવતિના પરીજનોની રજુઆત બાદ ન્યાય સંગત ફરજમાં પીઆઇ દ્રારા ઘોર બેદરકારી દાખવતાં નિષ્ફળ ગયા હોવાનું સ્પષ્ટ થયુ છે. જેમાં કેસની ગંભીરતાને પગલે પોલીસ વિભાગ દ્રારા પીઆઇ એન.કે.રબારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાથે યુવતીના મોત કેસમાં DGP શિવાનંદ ઝાએ CID ક્રાઈમને તપાસ સોંપી SITની રચના કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સસ્પેન્ડ@મોડાસા: યુવતિના મોતની તપાસમાં બેદરકાર પીઆઈ ક્લિન બોલ્ડ
પીઆઇ એન.કે.રબારી

અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના સાયરાની યુવતીના મોતના કેસમાં યુવતીના પરિજનો ચીફ સેક્રેટરી અને રાજ્યના પોલીસ વડાને મળ્યા હતા. જેમાં મોતની ઘટનાને ગંભીરતાથી લઈ DGP શિવાનંદ ઝાએ પીઆઇ રબારીને સસ્પેન્ડ કરી તપાસમાં ફેરબદલ કર્યો છે. સમગ્ર કેસની તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપી ડીઆઈજી ગૌતમ પરમારની આગેવાનીમાં એક SITની રચના કરવામાં આવી છે.

સસ્પેન્ડ@મોડાસા: યુવતિના મોતની તપાસમાં બેદરકાર પીઆઈ ક્લિન બોલ્ડ

સુત્રોએ જણાવ્યુ હતુ કે, મોડાસામાં જાહેર માર્ગ પરથી યુવતીનું અપહરણ કરી સામૂહિક દુષ્કર્મ બાદ હત્યા કરવાના બનાવમાં પરિવારજનોને ન્યાય અપાવવા ગાંધીનગર ખાતે શનિવારે વિવિધ સંસ્થાઓ દ્વારા દલિત મહાસંમેલન બોલાવવામાં આવ્યું હતું. બીજી તરફ આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ દ્વારા મુખ્ય સચિવ પાસેથી એક્શન ટેકન રિપોર્ટ પણ મંગાવવામાં આવ્યો છે.

મુખ્ય સચિવ અનિલ મુકીમને આવેદનપત્ર

સસ્પેન્ડ@મોડાસા: યુવતિના મોતની તપાસમાં બેદરકાર પીઆઈ ક્લિન બોલ્ડ
આ ઘટનામાં તટસ્થ અને ન્યાયી તપાસ માટે સામાજિક એકતા જાગૃતિ મિશન દ્વારા મુખ્ય સચિવ અનિલ મુકીમને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

આ ઘટનામાં તટસ્થ અને ન્યાયી તપાસ માટે સામાજિક એકતા જાગૃતિ મિશન દ્વારા મુખ્ય સચિવ અનિલ મુકીમને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં તમામ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તેવી રજૂઆત કરી છે. ફરજમાં બેદરકારી દાખવનારા એસપી મયૂર પાટીલની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવે. આ સાથે આગામી સાત દિવસમાં જો પગલાં નહીં લેવાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.