ટેક્નોલોજીઃ પૈસા ભૂલથી બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય તો આ રીતે પાછા મેળવો

અટલ સમાચાર, ડેસ્ક દેશમાં ડિજિટલના આગમન સાથે ઓનલાઇન પેમેન્ટ અને પૈસા ટ્રાન્સફર કરવાનો ટ્રેન્ડ ઘણો વધી ગયો છે. મોટાભાગના લોકો તેમના મિત્રો અને કુટુંબના સભ્યોને પૈસા આપવા માટે આ પ્લેટફોર્મનો આશરો લે છે, કારણ કે તે સમયનો બચાવ કરે છે. આ દરમિયાન, ઘણી વખત આપણે ચુકવણી કરવામાં ઉતાવળમાં કે ભૂલથી ખોટા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્ફર થઇ
 

અટલ સમાચાર, ડેસ્ક

દેશમાં ડિજિટલના આગમન સાથે ઓનલાઇન પેમેન્ટ અને પૈસા ટ્રાન્સફર કરવાનો ટ્રેન્ડ ઘણો વધી ગયો છે. મોટાભાગના લોકો તેમના મિત્રો અને કુટુંબના સભ્યોને પૈસા આપવા માટે આ પ્લેટફોર્મનો આશરો લે છે, કારણ કે તે સમયનો બચાવ કરે છે. આ દરમિયાન, ઘણી વખત આપણે ચુકવણી કરવામાં ઉતાવળમાં કે ભૂલથી ખોટા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્ફર થઇ જાય છે. તો આવો જાણીએ ભૂલથી ખોટા ખાતામાં પૈસા ટ્રાન્સફર થઇ ગયા છે તો શું કરવું જોઇએ.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

છેલ્લા ઘણા વર્ષોમાં, એવી ઘટનાઓ બની છે કે જેમાં પૈસા ખોટા ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે અથવા કોઈ ઓનલાઇન દ્વારા છેતરપિંડી થઈ છે. આવી ઘણી ઘટનાઓ પણ પ્રકાશમાં આવી છે, જેમાં ફક્ત મિસ્ડ કોલ આપીને ખાતામાંથી પૈસા ઉડાવી દેવામાં આવ્યા છે. આવી ઘટનાઓ સતત વધી રહી છે. આ પછી, બેંક તમારી આપેલ માહિતીની તપાસ કરશે કે શું તમારા પૈસા ભૂલથી બીજા ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે અથવા જો કોઈએ ખોટી રીતે પૈસા પાછા નીકાળ્યા છે. તપાસ પૂર્ણ થયા પછી બેંક તમને તમારા બધા પૈસા આપશે, પરંતુ આ માટે તમારે કેટલીક શરતોનું પાલન કરવું પડશે.

પૈસા પાછા મેળવવા માટે, તમારે પહેલા એટીએમ કાર્ડ નંબર અને ઇન્ટરનેટ બેંકિંગ સેવા બંધ કરવી પડશે. આ પછી પોલીસમાં ફરિયાદ નોંધાવો. ત્યારબાદ એફઆઈઆરની એક નકલ બેંકને સબમિટ કરવાની રહેશે.

એફઆઈઆર અંતર્ગત ઉપાડેલા નાણાંની બેંક તપાસ કરશે. જો તમારી સાથે કોઈ પ્રકારની છેતરપિંડી થાય છે, તો તમને સંપૂર્ણ પૈસા પાછા મળશે. પરંતુ જો તમે આકસ્મિક રીતે બીજા કોઈના ખાતામાં પૈસા જમા કરાવ્યા છે, તો પ્રથમ કાર્ય તમારી બેંકમાં જવું અને તે શોધવાનું છે કે તમે કોઈ વ્યક્તિના ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા છે. તે પછી, તે ખાતાની બેંક પર જાઓ જેમાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

જો તમે ભૂલથી પૈસા ટ્રાન્સફર કરવાનો પુરાવો આપો તો તમને પૈસા મળી શકે છે. આ માટે પ્રથમ કાર્ય એ છે કે બેંકને તેના વિશે માહિતી આપવી અને વિગતવાર માહિતી આપવી. રિઝર્વ બેંકના જણાવ્યા મુજબ, જો તમારી પરવાનગી વિના પૈસા ઉપાડવામાં આવે છે. તેથી તમારે ત્રણ દિવસની અંદર આ ઘટના વિશે બેંકને જાણ કરવી પડશે. આનાથી તમારા પૈસા બચી શકે છે.