થરાદ: ગુરૂપુર્ણિમાએ ABVP દ્વારા કોલેજમાં તથા શાળામાં ગુરૂપુજન કરાયું

અટલ સમાચાર, થરાદ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ થરાદ શાખા દ્વારા મંગળવારે સરકારી વિનિયન અને વાણિજય કોલેજ તથા ગાયત્રી વિધાલય થરાદ ખાતે ગુરુજનોનું બહેનોએ કંકું વડે તિલક કરી મોં મીઠું કરાવીને પૂજન કરવામાં આવ્યું હતું. જેમાં એબીવીપીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી પૂજન કર્યું હતું. ભારતીય સંસ્કૃતિ મુજબ ચાલી આવતી ગુરુ- શિષ્યની પરંપરાને સાચવી રાખવા તથા જેમના થકી
 
થરાદ: ગુરૂપુર્ણિમાએ ABVP દ્વારા કોલેજમાં તથા શાળામાં ગુરૂપુજન કરાયું

અટલ સમાચાર, થરાદ

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ થરાદ શાખા દ્વારા મંગળવારે સરકારી વિનિયન અને વાણિજય કોલેજ તથા ગાયત્રી વિધાલય થરાદ ખાતે ગુરુજનોનું બહેનોએ કંકું વડે તિલક કરી મોં મીઠું કરાવીને પૂજન કરવામાં આવ્યું હતું. જેમાં એબીવીપીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી પૂજન કર્યું હતું.

થરાદ: ગુરૂપુર્ણિમાએ ABVP દ્વારા કોલેજમાં તથા શાળામાં ગુરૂપુજન કરાયું

ભારતીય સંસ્કૃતિ મુજબ ચાલી આવતી ગુરુ- શિષ્યની પરંપરાને સાચવી રાખવા તથા જેમના થકી અંધકારના અજ્ઞાનમાંથી મુકત કરાવીને જ્ઞાનરુપી અજવાળું ફેલાવનાર ગુરૂજનોનું પૂજન વડે એમનો આદર સત્કાર થાય અને ગુરુ-શિષ્ય વચ્ચેનો સંબંધ સચવાઈ રહે તે હેતુથી એબીવીપી દ્વારા ગુરુપૂજન કરાયું હતું. સંસ્કૃતિ પ્રમાણે ગુરુને બીજું સ્થાન તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે.

થરાદ: ગુરૂપુર્ણિમાએ ABVP દ્વારા કોલેજમાં તથા શાળામાં ગુરૂપુજન કરાયું

આ ગુરુપૂજન કાર્યક્રમમાં સરકારી કોલેજના પ્રિન્સિપાલ રમેશભાઈ ચોવટીયા, જોરાભાઈ દેસાઈ, રતિલાલ રોહિત તથા ગાયત્રી શાળાના પ્રિન્સીપાલ ઉદેશીભાઈ પટેલ, જી. સી.સોની,ભરતભાઈ પટેલ સહિત એબીવીપીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.