થરાદમાં પત્નીને આપઘાત કરવા મજબૂર કરનાર પતિને 4 વર્ષની સાથે ૭ હજારનો દંડ

અટલ સમાચાર,થરાદ બનાસકાંઠાના થરાદના મેધપુરા ગામે પાંચ વર્ષ પહેલા ઘર કંકાસથી કંટાળી એક પરિણીતાએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.જોકે આ કેસ આજે કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપી પતિને ૪ વર્ષની કેદ અને ૭ હજારનો દંડ ફટકાર્યો છે. પ્રાપ્ત વિગત પ્રમાણે આજથી પાંચ વર્ષ પહેલા થરાદના મેઘપુરા ગામે એક પરિણીતાએ સાસરિયાઓના ત્રાંસથી કંટાળી ગળેફાંસો ખાઇ
 
થરાદમાં પત્નીને આપઘાત કરવા મજબૂર કરનાર પતિને 4 વર્ષની સાથે ૭ હજારનો દંડ

અટલ સમાચાર,થરાદ

બનાસકાંઠાના થરાદના મેધપુરા ગામે પાંચ વર્ષ પહેલા ઘર કંકાસથી કંટાળી એક પરિણીતાએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.જોકે આ કેસ આજે કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપી પતિને ૪ વર્ષની કેદ અને ૭ હજારનો દંડ ફટકાર્યો છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે આજથી પાંચ વર્ષ પહેલા થરાદના મેઘપુરા ગામે એક પરિણીતાએ સાસરિયાઓના ત્રાંસથી કંટાળી ગળેફાંસો ખાઇ લીધો હતો. આ કેસમાં મૃતક મહિલાના પરિવારજનોએ સાસરિયાઓ વિરુદ્ધ જેમાં પતિ, સસરા અને જેઠાણી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદ બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી.
પોલીસ તપાસમાં બહાર આવ્યું કે મહિલાને આપઘાત કરવા સુધી મજબૂર કરવામાં પતિ કસૂરવાર છે, બાદમાં કોર્ટે આરોપી પતિને 4 વર્ષ કેદની સજા અને 7 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. તો આ કેસમાં અન્ય આરોપી સસરા અને જેઠાણીને નિર્દોષ છોડી મૂક્યા હતા. સાથે જ કોર્ટે આદેશ કર્યો કે જો દંડની રકમ નહીં ભરવામાં આવે તો વધુ બે માસની સજા ફટકારવામાં આવે છે.