પાંચગામ લેઉવા પાટીદાર સમાજનો ૧૬મો વાર્ષિક સ્નેહમિલન સમારંભ યોજાયો
અટલ સમાચાર, મહેસાણા
મહેસાણા શહેર પાંચગામ લેઉવા પાટીદાર સમાજનો ૧૬મો વાર્ષિક સ્નેહમિલન સમારંભ મહેસાણા-ઊંઝા હાઇવે પાસે એકલવ્ય સ્કૂલમાં યોજાયો હતો. આ સ્નેહમિલન કાર્યક્રમની શરૂઆતમાં દીપ પ્રાગટય કરી બાદમાં તેજસ્વી તારલાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તદ્ઉપરાંત સ્વાગતગીત, બેટી બચાઓ, બેટી પઢાઓ ,સમાજના કુરિવાજો અને વ્યસન મુક્તિ સહિતના વકૃત્વ સ્પર્ધા, સાંસ્કૃતિક તેમજ રમત-ગમતના કાર્યક્રમો યોજાયા હતા.
સમાજના સભાસદો તથા તેમના પરિવારજનો માંથી ચાલુવર્ષ દરમ્યાન અવસાન પામેલને સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
જેમાં સમાજના નવીન પ્રમુખ કાંતિભાઈ ખેમાભાઈ પટેલ (સંડેર), ઉપ પ્રમુખ પ્રવીણભાઈ કાશીરામભાઈ પટેલ (ભાંડું), મંત્રી જીમી આર. પટેલ (ભાન્ડુ), સહ મંત્રી રાકેશભાઈ એમ. પટેલ, આંતરિક ઓડિટર અશોકભાઈ બી.પટેલ તેમજ નવીન કારોબારીની સર્વ સંમતિથી રચના કરવામાં આવી હતી.
સ્નેહમિલનમાં સમારંભના અધ્યક્ષ ભગવનભાઈ અમીન, મુખ્ય મહેમાન તરીકે ર્ડો.ત્રિકમભાઈ પટેલ, એકલવ્ય સ્કૂલના માલીક શંકરભાઇ જી.પટેલ તેમજ અતિથિ વિશેષ પાટણ જિલ્લા ચિટનિશ વિધિબેન પટેલ, ગાંધીનગર નાયબ ડી.પી.ઇ.ઓ. કિરણબેન પટેલ, ગાંધીનગરથી DYSO ક્રિપલ ભાઈ એસ.પટેલ, ર્ડા.નાથુભાઈ પટેલ તેમજ સમાજના હોદ્દેદારો કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં સ્પોર્ટ્સ કમિટીના સભ્યો, કાર્યક્રમના કન્વીનર ,સહ કન્વીનર તેમજ સમાજના કારોબારી સભ્યોના અથાગ મહેનતથી સમારંભને સફળ બનાવવામાં આવ્યો હતો.