ગુજરાતઃ પ્રવાસે નીકળેલા 57 બાળકોને નડ્યો અકસ્માત, જાણો પછી શું થયુ
અટલ સમાચાર, ડેસ્ક
શિક્ષણ સમિતિ ભરૂચ સંચાલિત અંકલેશ્વરના અમૃતપુરાની પ્રાથમિક શાળાના બાળકોનો સાપુતારાનો પ્રવાસ યોજાયો હતો. પ્રવાસની લક્ઝરી બસ અંકલેશ્વરથી સાપુતારા જવા નીકળી હતી. આ દરમિયાન ચીખલી નજીક અચાનક આખી બસ પલટી મારી ગઈ હતી. જેના પગલે બસમાં સવાર 57 વિદ્યાર્થીઓ પૈકી 23 જેટલા વિદ્યાર્થીઓને ઈજા પહોંચી હતી. જેમાં 3ની હાલત ગંભીર હોવાથી સુરત સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
સ્થાનિક લોકોએ બાળકોને બહાર મદદ કરવા દોડી આવ્યા હતા. ઘટનાને પગલે લોકોએ 108ને જાણ કરી પલટી ખાય ગયેલી લક્ઝરી બસમાંથી બાળકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. બીજા લોકો પણ મદદે આવી ગયા હતા. તમામ બાળકો અને વડીલોને બહાર કાઢી 108ની મદદથી સારવાર માટે રીફર કર્યા હતા. લક્ઝરી બસમાં 57 બાળકો હતા જેમાં 23ને ગંભીર ઇજા થઇ હતી. જેમાં 3-4ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.