સાદગીના પર્યાણ નેતાઃ બે વખત ધારાસભ્ય, હવે બન્યા મંત્રી પરંતુ રહેઠાણ ઝુંપડી!

અટલ સમાચાર, ડેસ્ક ભાજપની ટિકિટ પર બાલાસોર લોકસભા સીટ પર જીત મેળવનારા પ્રતાપચંદ્ર સારંગીએ ગુરુવારે મોદી સરકારમાં રાજ્યમંત્રીના શપથ લીધા છે. જેઓ મંચ પર આવતા જ સૌથી વધુ તાળીઓ પડી હતી. જેના આધારે અનુમાન લગાવી શકાય કે તેઓ કેટલા લોકપ્રિય નેતા છે. તેમને લોકો ઓડિશાના મોદી સંબોધીને બોલાવે છે. તેમની જીવનશૈલીની તુલના લોકો પીએમ મોદી
 
સાદગીના પર્યાણ નેતાઃ બે વખત ધારાસભ્ય, હવે બન્યા મંત્રી પરંતુ રહેઠાણ ઝુંપડી!

અટલ સમાચાર, ડેસ્ક

ભાજપની ટિકિટ પર બાલાસોર લોકસભા સીટ પર જીત મેળવનારા પ્રતાપચંદ્ર સારંગીએ ગુરુવારે મોદી સરકારમાં રાજ્યમંત્રીના શપથ લીધા છે. જેઓ મંચ પર આવતા જ સૌથી વધુ તાળીઓ પડી હતી. જેના આધારે અનુમાન લગાવી શકાય કે તેઓ કેટલા લોકપ્રિય નેતા છે. તેમને લોકો ઓડિશાના મોદી સંબોધીને બોલાવે છે. તેમની જીવનશૈલીની તુલના લોકો પીએમ મોદી સાથે કરી રહ્યાં છે.

સાદગીના પર્યાણ નેતાઃ બે વખત ધારાસભ્ય, હવે બન્યા મંત્રી પરંતુ રહેઠાણ ઝુંપડી!

પોતાની સાદગી જીવનશૈલી માટે જાણીતા પ્રતાપ ચંદ્ર બીજેડીના સાંસદ અને અરબપતિ ઉમેદવાર રબીન્દ્ર કુમાર સામે ચુંટણી લડ્યા હતા, અને જીતી પણ ગયા. તેઓ જે પ્રકારે ચૂંટણી લડ્યા તે ખુબ ચર્ચામાં રહી. વિરોધી ઉમેદવારો મોંઘી કારમાં બેસી ચૂંટણી કેમ્પેઇન કરી રહ્યાં હતા, ત્યાં સારંગી ઓટોરિક્ષામાં રેલી કરતા હતા. પોતાના પાર્ટી કાર્યકર્તાઓ પર નિર્ભર હતા.

સાદગીના પર્યાણ નેતાઃ બે વખત ધારાસભ્ય, હવે બન્યા મંત્રી પરંતુ રહેઠાણ ઝુંપડી!

જ્યારે તેઓએ ભાજપની ટિકિટ પર 2004 અને 2009માં વિધાનસભા ચૂંટણી જીતી ત્યારબાદ પણ તેઓ સાદગીથી જીવન જીવી રહ્યાં હતા. તેઓ બાળપણથી જ સાદગીપૂર્ણ જીવનશૈલીમાં રહ્યા છે તેમ તેમનું કહેવું છે. હું સાંસદ બન્યા બાદ પણ નહી બદલાવું. હું લોકો અને દેશ માટે કામ કરી રહ્યો છું અને હું જીવનભર આવું જ કરતો રહીશ. તેમણે ચૂંટણીમાં કોઈ ખર્ચ કર્યો નથી. તેઓ બે વખત ભાજપના ધારાસભ્ય તરીકે ચુંટાઈ આવ્યા છે. અને હવે પ્રથમ વખત સાંસદમાં ચુંટાતા મંત્રીપદના શપથ લીધા છે. જેઓની દેશમાં ખાસી એવી ચર્ચા જાગી રહી છે.

સાદગીના પર્યાણ નેતાઃ બે વખત ધારાસભ્ય, હવે બન્યા મંત્રી પરંતુ રહેઠાણ ઝુંપડી!

સારંગીની ઉંમર 64 વર્ષની છે. સારંગીનો જન્મ નીલગીરીથી ઢંકાયેલા ગોપીનાથપુર ગામના એક ગરીબ પરિવારમાં 4 જાન્યુઆરી 1955માં થયો. મોદીની જેમ સારંગીએ પણ યુવાવસ્થામાં સન્યાસી બન્યા હતા. તેઓ રામકૃષ્ણ મઠમાં પણ ગયા પરંતુ સાધુઓએ તેઓને માતાની સેવા કરવાની સલાહ આપી જ્યારબાદ તેઓ પરત ફર્યા હતા. તેઓ કહે છે કે અહીંના લોકો નરેન્દ્ર મોદીને દેશના વડાપ્રધાન તરીકે જોવા માગે છે. લોકોને તેમના નેતૃત્વ અને ભાજપના વિકાસના પ્રયાસો પર વિશ્વાસ છે. તેમ કહી પોતાની જીતનો શ્રેય વડાપ્રધાન મોદીને આપી રહ્યા છે.

બાલાસોરમાં તેમના આવવાથી મારી જીત પાક્કી થઇ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ઓડિશા આવ્યા તો પ્રતાપ સારંગી સાથે અવશ્ય મુલાકાત કરે છે. સારંગી ક્યારેક જાનવરોની સેવા કરતા નજર આવે છે તો ક્યારે કોઇ ગુફામાં સાધનામાં લીન. તેમની સાદગીના લોકો પ્રિય બની ગયા છે.