અટલ સમાચાર, રાધનપુર
રાધનપુર તાલુકાના નવા કમાલપુરના દિનેશભાઇ અજમલભાઇ ઠાકોર તેમના ઘર આગળ સોમવારે પતંગ ચગાવતા હતા. તે વખતે શખ્સો નિકળતા તેઓ કહેલ કે રોડ વચ્ચે કેમ પતંગ ચગાવે છે તેમ કહિને અપશબ્દો બોલવા લાગ્યા હતા. તેઓને અપશબ્દો બોલવાની ના પાડતા તેઓને લોખંડની પાઇપ વડે માર માર્યો હોવાની ઠાકોર અપુભાઇ લખુભાઇ, ઠાકોર હિરાભાઇ લખુભાઇ સામે ફરિયાદ નોંધાવી હતી.