ગુજરાતની એકમાત્ર શાળા જ્યાં બાળકો છે જાદુગર: આ અનોખી પહેલને બિરદાવી રહ્યા છે લોકો

અટલ સમાચાર, તલોદ જાદુગરોની શાળા અને તે પણ ગુજરાતમાં? જી હા, જાણીને નવાઈ લાગશે પરંતુ આ શાળા ઉત્તર ગુજરાતમાં આવેલી છે. અને તે પણ ગુજરાતની માત્રને માત્ર એક જાદુગર શાળા છે. બ્રિટીશ લેખિકા જે.કે રોલિંગની હેપ્ટાલોજી નામની નોવેલ પરથી બનાવાયેલી ફિલ્મ ‘હેરી પોટર’ માં તમે જાદુગરોની શાળા જોઈ હશે. જો કે ગુજરાતમાં પણ એક એવી
 
ગુજરાતની એકમાત્ર શાળા જ્યાં બાળકો છે જાદુગર: આ અનોખી પહેલને બિરદાવી રહ્યા છે લોકો

અટલ સમાચાર, તલોદ

જાદુગરોની શાળા અને તે પણ ગુજરાતમાં? જી હા, જાણીને નવાઈ લાગશે પરંતુ આ શાળા ઉત્તર ગુજરાતમાં આવેલી છે. અને તે પણ ગુજરાતની માત્રને માત્ર એક જાદુગર શાળા છે.

બ્રિટીશ લેખિકા જે.કે રોલિંગની હેપ્ટાલોજી નામની નોવેલ પરથી બનાવાયેલી ફિલ્મ ‘હેરી પોટર’ માં તમે જાદુગરોની શાળા જોઈ હશે. જો કે ગુજરાતમાં પણ એક એવી શાળા છે. જેના એક કે બે નહિ પણ 50 ટકા વિદ્યાર્થીઓ જાદુગરના ખેલ જાણે છે. માન્યામાં નહિ આવે પણ મોટા જાદુગરોને શરમાવે એવા નાનાં બાળકોના જાદુના ખેલ જોઈ અચરજ પામી જશો.

Video:1

સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકામાં આવેલી પુનાદરા ગામની સરકારી શાળામાં જાદુના ખેલ ચાલી રહ્યા છે. જો કે અહી જાદુગર બીજું કોઈ નહી પણ અહીના વિદ્યાર્થીઓ જ છે.  હવામાં ૫ ફૂટ ઊંચે ઉડી રહેલી આ વિદ્યાર્થીનીને તેની જ મિત્રએ હવામાં ૫ ફૂટ જાદુથી ઉંચી કરી છે. આ શાળાના વિદ્યાર્થીઓ કોઈ પણ મોટા જાદુગર કરી શકે તવા તમામ જાદુના કરતબ કરી જાણે છે.

Video:2

વાત જાણે એમ છે કે, અહીના આચાર્ય અને શિક્ષકોએ નક્કી કર્યું કે શાળાના બાળકોને કોઈ નવું કરતબ શીખવવામાં આવે. અને શરુઆત થઈ જાદુ શીખવવાની. બસ, ત્યાર બાદ ઈન્ટરનેટ, સાયન્સના શિક્ષકો, જાદુગરો બધાના સંપર્ક શરુ થયા અને એ લોકોની કળા સહીત વિજ્ઞાનની મદદ લઈને શરુ થયું એક નવું અભિયાન.

Video:3

પાણીમાંથી બરફ બનાવો, ધારદાર પત્રીઓ ગળવી, અંગારા ખાવા, કોથળીમાંથી બાળકને ગાયબ કરવું, અરે, સ્વાગત માટે દીપ પણ જાદુથી પ્રગટાવવા જેવા એકથી એક ચડીયાતા જાદુના ખેલ આ બાળકો કરી જાણે છે. તો જાદુની સાથે-સાથે અંધશ્રધ્ધા દૂર થાય એવા પ્રયાસો પણ આ બાળકો જાદુના માધ્યમથી કરી શકે છે.

પુનાદરા ગામ બક્ષીપંચ વસ્તી ધરાવતું નાનકડું ગામ છે. અહીંના લોકોની આર્થિક સ્થિતિ પણ સદ્ધર નથી. આમ છતાં તેમને પોતાના સંતાનો ખાનગી શાળામાં ના ભણાવી શકવાનો જરા પણ વસવસો નથી. કેમ કે ખાનગી શાળાના બાળકો ના કરી શકે એવા કામ અને શિક્ષણ અહીના ગરીબ બાળકો મેળવી રહ્યા છે.

સામાન્ય રીતે સરકારી શાળાઓના શિક્ષકોની કામગીરી બાબતે હંમેશા લોકો ફરિયાદ કરતા હોય છે. જો કે પુનાદરા ગામની શાળાના શિક્ષકોએ જે કરી બતાવ્યું છે એ ખાનગી શાળાઓ પણ કરી શકે એમ નથી. વળી, બાળકો હાલમાં જે જાદુના ખેલ શીખ્યા છે તે જોતા અગામી સમયમાં તેમને નોકરી કદાચ નહિ મળે તો પણ એ લોકો જાદુના કરતબથી રોજગાર મેળવી શકશે એ નક્કી છે.

આપને જણાવી દઈએ કે વિડીયોમાં જાદુ બતાવી રહેલ વિદ્યાર્થીઓ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ અને વૈજ્ઞાનિક રીતે ઘણા સમયની પ્રેક્ટીસ બાદ જાદુ કરી રહ્યા છે. જેથી આપ વાંચક મિત્રોએ અનુભવ વિના આવા પ્રયોગ કરવા નહી.

(સંકલન ઃ હાર્દિક)