રાજસ્થાન સુંધામાતા મંદિરના ટ્રસ્ટીનું ગમખ્વાર અકસ્માતમાં નિધન

અટલ સમાચાર, પાલનપુર (રામજી રાયગોર) રાજસ્થાન સુંધા માતાજીના મંદિરના વ્યવસ્થાપકનું શુક્રવારના રાત્રીના સમયે લગ્નમાંથી પરત ફરતી વખતે ગાડીનો અકસ્માત સર્જાતા તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જાણવા મળતી માહિતી મુજબ રાજસ્થાન સુંધા માતાજી મંદિરમાં ઘણા સમયથી વ્યવસ્થાપક તરીકે સેવા આપતા મહેન્દ્રસિંહ દેવલ લગ્ન પ્રસંગમાં ગજાપુર ગયા હતા. ત્યારે પરત ફરતી વખતે માલવાડાના જસવંતપુરા પાસે ગાડી
 
રાજસ્થાન સુંધામાતા મંદિરના ટ્રસ્ટીનું ગમખ્વાર અકસ્માતમાં નિધન

અટલ સમાચાર, પાલનપુર (રામજી રાયગોર)

રાજસ્થાન સુંધા માતાજીના મંદિરના વ્યવસ્થાપકનું શુક્રવારના રાત્રીના સમયે લગ્નમાંથી પરત ફરતી વખતે ગાડીનો અકસ્માત સર્જાતા તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

રાજસ્થાન સુંધામાતા મંદિરના ટ્રસ્ટીનું ગમખ્વાર અકસ્માતમાં નિધનજાણવા મળતી માહિતી મુજબ રાજસ્થાન સુંધા માતાજી મંદિરમાં ઘણા સમયથી વ્યવસ્થાપક તરીકે સેવા આપતા મહેન્દ્રસિંહ દેવલ લગ્ન પ્રસંગમાં ગજાપુર ગયા હતા. ત્યારે પરત ફરતી વખતે માલવાડાના જસવંતપુરા પાસે ગાડી ટકરાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર ઈજા થતા તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં સુંધામાતા મંદિર ટ્રસ્ટીના સભ્યો દોડી આવ્યા હતા. મહેન્દ્રસિંહ સેવાભાવિ અને સરળ સ્વભાવના વ્યક્તિ હતા. એકાએક અકસ્માતમાં તેમનું નિધન થતા જસવંતપુરા અને માલવાડાના લોકોમાં શોક જોવા મળી આવ્યો હતો.