થરાઃ શિહોરી નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક મોત, બે ઘાયલ

અટલ સમાચાર, કાંકરેજ (રામજી રાયગોર) બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતોની ઘટનાઓમાં વધારો થયો છે. લોકોની વાહન ચલાવવામાં બેદરકારીભર્યું ડ્રાઈવિંગ માસુમોના જીવ લઈ બેસે છે. આવી જ એક ઘટના થરા-શિહોરી નેશનલ હાઈવે પર બનવા પામી છે. જેમાં બાઈક સવારને ટક્કર મારી અજાણ્યા વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. જેમાં એકનું મોત જ્યારે બે વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
 
થરાઃ શિહોરી નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક મોત, બે ઘાયલ

અટલ સમાચાર, કાંકરેજ (રામજી રાયગોર)

બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતોની ઘટનાઓમાં વધારો થયો છે. લોકોની વાહન ચલાવવામાં બેદરકારીભર્યું ડ્રાઈવિંગ માસુમોના જીવ લઈ બેસે છે. આવી જ એક ઘટના થરા-શિહોરી નેશનલ હાઈવે પર બનવા પામી છે. જેમાં બાઈક સવારને ટક્કર મારી અજાણ્યા વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. જેમાં એકનું મોત જ્યારે બે વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

પ્રાપ્ત થઈ રહેલી વિગતો અનુસાર થરા-વડા વચ્ચે થરા-શિહોરી નેશનલ હાઈવે પર સોમવારના રોજ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. વડા પુલ પાસે થયેલ અકસ્માતમાં બાઈક સવારને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી. જેમાં બે વ્યક્તિઓ ગંભીરપણે ઘાયલ થયા હતા. અને એકનું કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે અકસ્માત સર્જનાર ચાલક વાહન સાથે ફરાર થઈ ગયો હતો. આમ, બનાસકાંઠામાં કાળમુખા અકસ્માતથી વધુ એક પરિવારમાં દુઃખની કાલિમા છવાઈ જવા પામી છે.