દુર્ઘટના@અરવલ્લી: અલગ-અલગ જગ્યાએ વીજકરંટથી 2 લોકોના મોત

અટલ સમાચાર, અરવલ્લી કોરોના મહામારી વચ્ચે અરવલ્લી જીલ્લામાં બે અલગ-અલગ ઘટનાઓમાં વીજ કરંટથી બે લોકોના મોતથી ચકચાર મચી ગઇ છે. જીલ્લાના માલપુર તાલુકાના ગામે મોટર ચાલુ કરવા જતાં યુવકનું મોત તો બાયડ તાલુકાના ગામે મકાનની છત પરથી વીજ કરંટ ઉતરતાં યુવકનું મોત થતાં પંથકમાં શોકનું વાતાવરણ વ્યાપી ગયુ છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં
 
દુર્ઘટના@અરવલ્લી: અલગ-અલગ જગ્યાએ વીજકરંટથી 2 લોકોના મોત

અટલ સમાચાર, અરવલ્લી

કોરોના મહામારી વચ્ચે અરવલ્લી જીલ્લામાં બે અલગ-અલગ ઘટનાઓમાં વીજ કરંટથી બે લોકોના મોતથી ચકચાર મચી ગઇ છે. જીલ્લાના માલપુર તાલુકાના ગામે મોટર ચાલુ કરવા જતાં યુવકનું મોત તો બાયડ તાલુકાના ગામે મકાનની છત પરથી વીજ કરંટ ઉતરતાં યુવકનું મોત થતાં પંથકમાં શોકનું વાતાવરણ વ્યાપી ગયુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લામાં આજે બાયડ અને માલપુરમાં વીજ કરંટથી બે લોકોના મોત થયા છે. જેમાં બાયડ તાલુકાના અલવાકંપામાં રહેતાં 21 વર્ષીય નિખિલકુમાર અમરતભાઈ પરમાર નામના યુવકને મકાનની છત પરથી વીજ કરંટ ઉતરતા વીજ કરંટ લાગતા મોત નિપજ્યું હતું. આ તરફ માલપુર તાલુકાના જાલમખાંટના મુવાડા ગામે રહેતા ખાંટ અજિતભાઈ ગલાભાઈ નામના યુવકને મોટર ચાલુ કરવા જતાં વીજ કરંટ લાગતા મોત નીપજ્યું હતુ. ઘટનાને લઇ મૃતકોના પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે.