દુર્ઘટના@ચાણસ્મા: કાર અને ST બસ વચ્ચે ગમખ્વાર ટક્કર, ચાલકનું ઘટનાસ્થળે જ મોત

અટલ સમાચાર ડોટ કોમ, ચાણસ્મા ચાણસ્મા તાલુકાના ગામે આજે કાર અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આજે સવારના સમયે હારીજથી અમદાવાદ જતી એસટી બસ અને મહેસાણાથી ચાણસ્મા તરફ જતી કાર વચ્ચે ટક્કર થઇ હતી. પ્રાથમિક વિગતો મુજબ કારનો ચાલક બેફામ સ્પિડે આવતો હોઇ બસને આગળના ભાગે ટક્કર મારી હતી. જેમાં ગંભીર પ્રકારની ઇજાઓને કારણે
 
દુર્ઘટના@ચાણસ્મા: કાર અને ST બસ વચ્ચે ગમખ્વાર ટક્કર, ચાલકનું ઘટનાસ્થળે જ મોત

અટલ સમાચાર ડોટ કોમ, ચાણસ્મા

ચાણસ્મા તાલુકાના ગામે આજે કાર અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આજે સવારના સમયે હારીજથી અમદાવાદ જતી એસટી બસ અને મહેસાણાથી ચાણસ્મા તરફ જતી કાર વચ્ચે ટક્કર થઇ હતી. પ્રાથમિક વિગતો મુજબ કારનો ચાલક બેફામ સ્પિડે આવતો હોઇ બસને આગળના ભાગે ટક્કર મારી હતી. જેમાં ગંભીર પ્રકારની ઇજાઓને કારણે કારચાલકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયુ હતુ. સમગ્ર મામલે બસના ડ્રાઇવરે ચાણસ્મા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના ચાણસ્મા તાલુકાના ધિણોજ પહેલા અને પલાસર પાટીયાથી થોડેક દૂર વળાંકમાં અકસ્માતની ઘટના સામે આવી છે. આજે સવારે હારીજ ડેપોની બસ લઇ ચાલક કમલેશકુમાર ઠાકોર અમદાવાદ જઇ રહ્યા હતા. આ દરમ્યાન ધિણોજ તરફથી બેફામ સ્પિડે આવતી આઇ ટ્વેન્ટી કાર બસને આગળના ભાગે જોરદાર ટક્કર મારી હતી. જેથી કારને મોટું નુકશાન થયુ હોઇ ચાલક અજયકુમાર મહેન્દ્રસિંહ યાદવનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયુ હતુ.

દુર્ઘટના@ચાણસ્મા: કાર અને ST બસ વચ્ચે ગમખ્વાર ટક્કર, ચાલકનું ઘટનાસ્થળે જ મોત

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ચાણસ્મા-મહેસાણા હાઇવે પર અકસ્માતની ઘટનામાં કારચાલકનું મોત થયુ છે. પ્રાથમિક વિગતો મુજબ મૃતક અજયકુમાર યાદવ ઝીલીયા પાસેથી અસાહી ઇન્ડીયા કંપનીમાં નોકરી કરતો હોવાનું સામે આવ્યુ છે. વહેલી સવારે સાડા આઠેક વાગ્યે બેફામ સ્પિડે આવતી કાર અને બસ વચ્ચે અકસ્માત થતાં એકનું મોત થયુ છે. સમગ્ર મામલે એસટી બસના ચાલક કમલેશકુમારે ચાણસ્મા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. ચાણસ્મા પોલીસે આઇપીસી 279, 304A અને મોટર વાહન અધિનિયમની કલમ 177, 184 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.